Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
૬ પ્રત્યાખ્યાન
ત્યાગ તે “પ્રત્યાખ્યાન” છે, ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓ દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે છે. અન્ન, વસ્ત્ર, ધન આદિ બાહ્ય વસ્તુઓ કય રૂપે છે; જ્યારે અજ્ઞાન, અસંયમ, કષાય વગર વૈભાવિક પરિણામ ભાવ રૂપે છે. અન્ન આદિ બાહ્ય વસ્તુઓને ત્યાગ ૫ણ અજ્ઞાન આદિ ભાવત્યાગ માટે ભાવપૂર્વક કરે જેક્ટને જે દ્રવ્યત્યાગ, ભાવત્યાગપૂર્વક ભાવત્યાગ માટે કરવામાં આવી નથી, તે ત્યાગથી આત્માના ગુણેની પ્રાપ્તિ કે તેનો વિકાસ પણ થતું નથી.
શ્રદ્ધા, જ્ઞાન, વન્દન, અનુપાલન, અનુભાષણ અને ભાવ એ છો શુદ્ધિ સહિત કરેલ પ્રત્યાખ્યાન શુદ્ધ છે. (આવૃ૦ પૃ૮૭) *
પ્રત્યાખ્યાનનું બીજું નામ “ ગુણધારણું' છે, કારણ કે તેના વડે અનેક ગુની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાન કરવાથી આવા નિરોધ અથવા સંવર થાય છે, સંવરથી તૃષ્ણાને નાશ એ તૃષ્ણાના નાશથી અવર્ણનીય સમભાવ ઉત્પન્ન થાય છે, જેનાવટ ક્રમશઃ મોક્ષને પણ લાભ થાય છે. આવશ્યકક્રિયાના કમની સ્વાભાવિકતા તથા ઉપપત્તિઃ
જે છે અનન્દષ્ટિ છે, તેના જીવનને મુખ્ય ઉદેશ સમભાવ અર્થાત સામાયિક પ્રાપ્ત કરવાનો છે; તેથી તેના દરેક વ્યવહારમાં સમભાવ સ્પષ્ટ દેખી શકાય છે. આવાં છે ત્યારે કાઈ ને સમભાવની ટોચે ચઢેલ જુએ કે જાણે છે ત્યારે તે આના સ્વાભાવિક ગુણોની સ્તુતિ કરે છે, તે ઉપરાંત સમભાવ સ્થિત સાધુ પુરૂષને વન્દન કે નમસ્કાર કરવાનું પણ તે ભૂલતો નથી. આવા અન્તર્દષ્ટિ જીવના જીવનમાં એવી સ્તુતિ અર્થાત અપ્રમત્તતા કે જાગ્રતદશા હોય છે કે તેઓ કદાચિત પૂર્વવાસના કે કુસંગને, લઇ સમભાવથી પતિત થાય તો પણ, તે પ્રમાતાના મરણનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com