Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 50
________________ છે, જેમાં ફેરફાર કરવાથી તેની સ્વાભાવિકતા ખંડન થયા વિના અન્ય કંઈ પરિણામ ન સંભવી શકે. આવશ્યકશિયાની આધ્યાત્મિકતા જે ક્રિયા આત્માના વિકાસને લક્ષ્યમાં રાખી કરવામાં આવે છે તે માધ્યાત્મિક ક્રિયા છે.આત્માને વિકાસ એટલે સમ્યક્ત્વ ચેતના, ચારિત્ર આદિ છવના સ્વાભાવિક ગુણોની કમશઃ શુદ્ધિ કે વૃદ્ધિ. આ કીપર આવશ્યકને કસી જોતાં અબ્રાંત રીતે સ્પષ્ટ થશે કે “આવશ્યક એ શાએ આધ્યાત્મિક ક્રિયા છે. એ આવશ્યકની કચેરીઃ સામાયિકનું ફલ પાપજનક વ્યાપારને ત્યાગ છે તેનાથી કર્મની નિજ રા થઈ આત્માના ગુણેને વિકાસ થાય છે. ચતુર્વેક્ષતિ સ્તવને ઉદ્દેશ ગુણાનુરાગની વૃદ્ધિ દ્વારા ગુણની શુદ્ધિ છે; તે દ્વારા પણ આત્માના ગુણની શુદ્ધિ તેમજ વિકાસ થાય છે. વન્દન દ્વારા વિનય ગુણ પ્રાપ્ત થાય છે, માનના ચૂરેચૂરા થઈ જાય છે, ગુરૂજનનું પૂજન થાય છે, અને તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે, આ પત વન્દન કરનારને નમ્રતાને લઈ શાશ્રવણની તક પ્રાપ્ત થાય છે, જેનાથી ક્રમશ: જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાઢવ, તપ, કમનાશ, અક્રિયા અને સિદ્ધિ આદિ ફળ થાય છે. (આનિ સ. ૧૨૧૧ તથા વૃત્તિ) આમ જોતાં ઉપરોક્ત ત્રણે ક્રિયાઓ આત્મવિસના સાધનરૂપ હેવાથી આધ્યાત્મિક જ છે. આત્મા સત્ય રીતે તે પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ બલવાન છે; પરન્તુ અનાદિ કાળથી વિવિધ વાસનાના પ્રવાહમાં તણાતો રહ્યો હોવાથી દેશના અનેક પડોથી તે દબાઈ ગયો છે, અને તેથી જ્યારે તે જરા પણ ઉઠવાને સાહસ અને પ્રયત્ન કરે છે ત્યારે અનાદિ અભ્યાસને હ ભૂલે કરે છે, આમ બને એ સ્વભાવિક જ છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96