Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
- આમ વિચારતાં સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે સાસ્ત્રીય અને - વ્યાવહારિક એ બન્ને દૃષ્ટિએ આવશ્યક ક્રિયા પરમ લાભદાયક છે. 6 પ્રતિકમણ શબ્દની રૂઢિઃ
પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પતિ પ્રતિ ક્રમણએ પ્રમાણે છે,એ વ્યુત્પત્તિ પ્રમાણે તેનો અર્થ પાછું ફરવું એટલે જ થાય છે પરંતુ રૂઢિબળે પ્રતિક્રમણ શબ્દ “ચોથા આવશ્યક” અને “છયે આવશ્યકના સમુદાય”
ભાન કરાવે છે. છેલ્લા અર્થમાં તે શબ્દની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ છે કે આજ તે “આવશ્યકની જગ્યાએ, છ આવશ્યકના સમુદાય માટે પણ પ્રતિક્રમણ શબ્દ વપરાય છે અને વ્યવહારમાં તેમજ અર્વાચીન ગ્રંથોમાં પ્રતિક્રમણું” શબ્દ એક પ્રકારે “આવશ્યક શબદન પર્યાય બની ગયું છે. પ્રાચીન ગ્રંથમાં પ્રતિક્રમણ' શબ્દનો ઉપયોગ
સામાન્ય આવશ્યક”ના અર્થમાં મુદ્દલ દેખાતું નથી. પ્રતિક્રમણ હેતુ ગ, પ્રતિક્રમણ વિધિ, ધર્મ સંગ્રહ આદિ અર્વાચીન ગ્રંથમાં
પ્રતિક્રમણ’ શબ્દ સામાન્ય આવશ્યકના અર્થમાં વપરાયેલ છે અને સામાન્ય મનુષ્ય પણું આવશ્યકનાજ અર્થમાં પ્રતિક્રમણ શબ્દને અસ્મિલિત ઉપયોગ કરતા હોય એવો અનુભવ થાય છે.
અહીં પ્રતિક્રમણ શબ્દને અર્થ સામાન્ય આવશ્યક અર્થાત છયે આવશ્યક સમુદાય છે; આ જગ્યાએ બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, (૧) પ્રતિક્રમણના અધિકારી કોણ? અને (૨) પ્રતિક્રમણુવિધાનની રૂઢિ, જે પ્રચલિત છે તે શાસ્ત્રીય અને યુક્તિસંગત છે કે કેમ? પ્રતિકમણના અધિકારી
પ્રથમ પ્રશ્નને ઉત્તર એ છે કે સાધુ અને શ્રાવક -એ અને પ્રતિક્રમણના અધિકારી છે; કારણકે શાસ્ત્રમાં સાધુ અને શ્રાવક એ બન્ને માટે કેવસિસ અને રાઈએ એ બે
- ( ૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com