Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
જેને અને અન્ય સંપ્રદાયના આવશ્યક “સંધ્યા આદિઃ
આવશ્યકક્રિયાને મૂલ તો સમજાવતી વખતે સચિત કરેલ છે કે સર્વ અન્તર્દષ્ટિવાળા જીવનું જીવન સમભાવમય હોય છે.અર્તદષ્ટિ કઈ ખાસ દેશ, કે કઈ ખાસ કાલની બેડીમાં બંધાયેલી હતી નથી; તેને આવિર્ભાવ સ્કેિટ] સર્વ દેશ અને સર્વ કાલના આત્માઓ માટે સાધારણ છે, આમ હોવાથી તેને પ્રાપ્ત કરવી અને વધારવી તે સર્વ આધ્યાત્મિક જીવનું ધ્યેય હોય છે. પ્રકૃતિ, યોગ્ય અને નિમિત્ત ભેદને કારણે એમ હોવું એ સ્વાભાવિક જ છે કે ખાસ દેશ, કોઈ ખાસ કાલ અને કઈ ખાસ વ્યક્તિમાં અન્તર્દષ્ટિનો વિકાસ આછો હોય અને કેાઈમાં વિશેષ પણ હોય. આજ કાર
થી આધ્યાત્મિક જીવનને જ વાસ્તવિક જીવન સમજનાર અને તેજ જીવનની વૃદ્ધિની ઈચ્છા રાખનાર સર્વ સંપ્રદાયના પ્રવર્તકોએ પોતપિતાના અનુયાયિઓને આધ્યાત્મિક જીવન વ્યતીત કરવા સારૂ, તે જીવનના તને તેમજ તે તત્વોનું અનુસરણ કરતી વખતે, જાણતા અજાણતા પણ થઈ જતી ભૂલને સુધારી ફરી તેવી ભૂલ ન કરવાનો ઉપદેશ આપ્યો છે, પરંતુ એમ હોઈ શકે છે કે જુદા જુદા સંપ્રદાયોના પ્રવર્તકેની ઉપદેશપદ્ધતિ, ભાષા આદિમાં ભિન્નતા હોવા સાથે વિચારોમાં પણ ન્યાવિક્તા હેય; આમ છતાં એ તો કદાપિ પણ સંભવ નથી કે આધ્યાત્મિક જીવનનિષ્ટ ઉપકોના વિચારનું મૂલ એક ન હોય, આ જગ્યાએ આવશ્યકકિયા મુખ્ય છે, તેથી માત્ર તેનાજ સંબંધમાં જુદા જુદા સંપ્રદાયોના વિચારની સમાનતા બતાવવી ઉપયોગી થશે. જો કે સર્વે પ્રદ્ધિ સબદાના “નિત્ય કર્મ નો ઉલ્લેખ કરી વિચારસામ્ય બતાવાનો ઈરાદો હતા, પરંતુ યથેષ્ટ સાધનોના અભાવે માત્ર જૈન, બૌદ્ધ વૈદિક અને જરા ધર્મનો જ વિચાર માત્ર અહીં કરી શકાય છે. યથેષ્ટ સાધન ન મળવાથી આ સમયે સક્ષેપથી જ સતે, માન્યો છે, આટલો પણ ઉલેખ વાંચકોને ઉપયોગી થશે તે તેઓએ
( ૮૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com