Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
પ્રતિક્રમણ અવશ્ય કર્તવ્ય રૂપે બતાવ્યાં છે; અને અતિચાર આદિ પ્રસંગ હોય કે ન હોય તો પણ પ્રથમ અને ચરમ [છેલ્લા ] તીર્થકરના શાસનમાં પ્રતિક્રમણ સહિત જ ધર્મ બતાવ્યો છે. પ્રતિકમણની પદ્ધતિ
બીજો પ્રશ્ન એ છે કે સાધુ અને શ્રાવક એ બેનો પ્રતિક્રમણની પદ્ધતિ સાથે કેવો સંબંધ છે? સર્વ સાધુઓને ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપચય ભલે ન્યાધિક હોય પરંતુ સામાન્યતઃ તે સર્વ સર્વવિરતિભાવવાળા એટલે ત્રિવિધ ત્રિવિધે(મન,વચન અને કાયા દ્વારા સાવઘ કાર્ય કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગ રૂપે ) પાંચ મહાવ્રત ધારણ કરેલ હોય છે; આમ હોવાથી તે સર્વને પાંચે તેમાં લાગેલ અતિચારના સંશોધન રૂપ આલેચના અર્થાત પ્રતિક્રમણ નામનું ચોથું આવસ્યક સમાન રીતે કરવું જોઈએ, અને તેને માટે સર્વ સાધુઓએ સમાન જ આલોચનાત્ર બોલવું જોઈએ. આ પ્રમાણે જ આલોચના અને એકજ આલેચના સૂત્રની રૂઢિ તેમનામાં હજી પણ પ્રચલિત છે.
१ समणेण सावरण, अवस्सकाययव्वं हवह जम्हा। अन्ते अहोणिसस्वय, तम्हा आपस्सयं माम ॥२॥
આવશ્યક વૃત્તિ, પૃ. ૫ - સાધુ અને શ્રાવકોએ રાત્રિ અને દિવસને અને અવશ્ય કરવું જોઈએ એ આવશ્યક છે. २ सपडिकमणोधम्भो, रिमस्स य पच्छिमस्स य जिणस्स। મહિલા મથાળ વિવા, રણના પરિણામ કક્કો
આવસ્યક નિર્યુક્તિ. પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં ધર્મ સપ્રતિક્રમણ છે; જ્યારે બાકીના બીજાથી વીશ સુધીના મધ્યમ તીર્થ કરના શાસનમાં કારણ પ્રસંગે પ્રતિક્રમણ ધર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com