Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
સર્વ અધિકારીને માટે સમાન છે. પરંતુ અહીં જે પ્રશ્ન છે તે અતિચાર સંશોધન રૂપે પ્રતિક્રમણના સંબંધમાં છે અર્થાત ગ્રહણ નહિ કરેલ વ્રત, નિયમેના અતિચારનું સંશોધન અને તેને લગતા સૂત્રો બોલવાં તેમજ “મિચ્છામિ સુકી દ્વારા પ્રતિક્રમણ કરવાની જે રૂઢિ ચાલુ છે તેને આધાર છે?
આ શંકાનું સમાધાન એટલું જ છે કે અતિચારસંશાધન રૂ૫ પ્રતિક્રમણ તે ગ્રહણ કરેલ વ્રતનું જ કરવું એ યુકિતસંગત છે અને તે પ્રમાણે તેને લાગતા સુત્ર બોલી “મિચ્છામિ સુર દેવું જે. ગ્રહણ નહિ કરેલ તેના સંબંધમાં તે “ શ્રદ્ધા વિપર્યાસ ( વિપરીત અહા ) નું પ્રતિક્રમણ જરૂર કરવામાં આવે, પરંતુ અતિચારસંશોધન અર્થે તેને લગતા સૂવો બોલી “બિછમિ સુa' આદિ દેવાને બદલે તે તે વ્રતોના ગુણોની ભાવના ભાવવી, તેમજ તે વ્રતોના ગ્રહણ કરનાર ઉચ્ચ શ્રાવકેને ધન્યવાદ દઈ ગુણનુરાગને પુષ્ટ કરવો તેજ યુદતસંગત છે.
હવે પ્રશ્ન એ છે કે જ્યારે સ્થિતિ આ પ્રમાણે છે ત્યારે વ્રતી. અત્રતા, બાળક અને વૃધ્ધ એ સર્વ શ્રાવકેમાં એકજ “જિ” સૂત્રધારા સમાનરૂપે અતિચારસંશોધન કરવાની જે રૂઢિ પ્રચલિત છે તે કેવી રીતે ચાલુ થઈ છે?
તેનો ખુલાસો આ પ્રમાણે હોય એમ લાગે છે. પ્રથમ આવશ્યકસત્ર' સર્વને સંપૂર્ણ યાદ ન હોય, બીજું જે તે યાદ હેય તે પણ સાધારણ અધિકારીઓ માટે એકલા રતા સમુદાયમાં મળી આવશ્યકક્રિયા કરવી એ લાભદાયક માનવામાં આવ્યું છે; ત્રીજું જ્યારે કોઈ સર્વથી ઉચ્ચ શ્રાવક પિતાને માટે સર્વથા ઉપયોગી એવું ‘રિ’ સૂત્ર સંપૂર્ણ બોલે છે, ત્યારે પ્રાથમિક અને માધ્યમિક એવા સર્વ અધિકારીઓને ઉપયેગી એવા સર્વ
( ૭૫ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com