Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
આરોપન ન
ના આ પ્રતિમા નથી. તેથી જ
કારણને લઈ આત્મા જ્યાં સુધી ભૂલનું સંશોધન ન કરે ત્યાં સુધી ઈષ્ટસિદ્ધિ થઈ શકતી નથી, તેથી જ વખતો વખત થઈ ગયેલી ભૂલને યાદ કરી પ્રતિક્રમણ દ્વારા વારંવાર તે ન થઈ જાય એ પ્રકારનો નિશ્ચય કરવામાં આવે છે. આમ જોતાં પ્રતિક્રમણને ઉદ્દેશ પ્રથમ થયેલ દેને દૂર કરવા, અને તે દે ફરી ન થાય તે માટે સાવધાની (ઉપયોગ) રાખવી એ છે. પ્રતિક્રમણ કરવાથી આત્મા દોષથી મુક્ત બને છે અને શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરે છે. કાયોત્સર્ગ ચિત્તની એકાગ્રતા ઉત્પન્ન કરે છે અને આત્માને પિતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાની તક આપે છે જેના વડે આત્મા નિર્ભય બની પિતાના કઠણમાં કઠણ ઉદ્દેશને સિદ્ધ કરી શકે છે. આમ આ બન્ને ક્રિયાઓ પણ આધ્યાત્મિક જ જણાય છે.
દુનીયામાં જે કાંઈ વસ્તુઓ છે તે સર્વે કેઈથી ભોગવી શકાતી નથી, અને તેમાંની કેટલીક તે ભોગવવા યોગ્ય પણ હોતી નથી; આ ઉપરાન્ત વસ્તુઓના અપરિમિત ભેગથી વાસ્તવિક જ્ઞાતિ પણ પ્રાપ્ત થતી નથી. આમ હવાને લઈને પ્રત્યાખ્યાન દ્વારા મુમુક્ષુગણું
તને ન ભોગવવાની વસ્તુઓના ભાગોથી બચાવી લઈ સ્થાયી આત્મજ્ઞાતિ પ્રાપ્ત કરે છે. આ રીતે પ્રત્યાખ્યાનની ક્રિયા પખ આધ્યાત્મિક છે.
ભાવ આવશ્યકની મહત્તા ભાવ આવશ્યક તે કાત્તર પ્રિયા છે, કારણ કે મોક્ષના જ ઉદ્દેશથી આધ્યાત્મિક મનુષ્ય ઉપામ પૂર્વક તે ક્રિયા કરે છે, તેથી તેનું સમર્થન લોકોત્તર તેમજ વ્યાવહારિક દષ્ટિએ પણ થઈ શકે છે, કારણ કે આવશ્યકક્રિયાના અધિકારી પણ વ્યવહારનિક મનુષ્યો જ હોય છે. લકેર નિશ્ચય દષ્ટિએ આવશ્યકક્રિયાની મહત્તા
જે તને લઈ મનુષ્યજીવન અન્ય પ્રાણીજીવન કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com