Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
વેલું છે તેને અંગબાહ્ય સમજવું; નિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની હોવાની પ્રસિદ્ધિ જાણીતી છે. તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉપરથી મૂલ આયસ્પકસૂત્રના જ વિષે કશે જ પ્રકાશ પડતો નથી. બીજી વ્યાખ્યામાં અંગબાલ્પના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂલું છે, અને એને છૂટાછવાયા છે. પ્રશ્ન વિવાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં ગાવ્યું છે. જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે બિત કરતો પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને ભાઈ રૂપે શ્રી તીર્થકરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરત. કેસ માની શકાય ? અને વળી જ્યારે ઉલટાં અનેક વિધી પ્રમાણો આવશ્યલ્સને ગણધર ભિન્ન આચાર્યપ્રણીત બતાવનારાં મળતાં હોય ત્યારે એમ માનવું એ તો સ્પષ્ટ પ્રમાણેની અવમાનના કરવા જેવું ચા. અલબત્ત, સ્થવિર શબ્દ ગણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકત્ર ગણધરકૃત જ છે એમ કાંઈ ફલિત થતું નથી. જલધારીશ્રીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્વાર્થભાષ્ય આદિના ઉલ્લેખને ધ્યાનમાં લઈ ) અર્થ કાઢવા જઈએ તો સરલપણે એટલે જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ન જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે મૃત તે અંગબાહ્ય. આટલા અર્થ આવાવના કર્તા તરીકે કોઈ વ્યક્તિને નિર્ણય કરવા બસ નથી. તેવા નિર્ણય માટે તો વિવાદગ્રસ્ત સ્થલમાં સ્પષ્ટ પ્રમાણે જોઈએ. જે તવાભાષ્ય આદિના ઉપર ટાંકેલા ચાર સ્પષ્ટ પ્રમાણે આપણું સા ન હોત તો મલધારીશ્રીની ટીકાને અધ્યહારવાળો ઉલ્લેખ ગણવારને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેનાં ટાંકેલા ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કોઈ ઉપયોગી નથી. તેથી તે પર વિચાર કરવો એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ માલધારીશ્રી હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરી સાબિત કરવા કોઈ સ્પષ્ટ પુરાવો પૂરો પાડતી નથી; તેથી,
( પર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com