Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
* |
*
;
-
ચકનિક્તિની એ ગાયને અર્થ એમના ધ્યાન બહાર નજ હવે જોઈએ. એટલે વાચકગ્રીએ અંચબાણનું સ્વરૂપ બતાવ્યું છે અને જેને મેં પ્રમાણ વરીકે ઉપર પ્રસમજ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકતિર્યક્તિની ભૂલચાણાની અર્થપરંપરાને અનુસરતું જ હેવું જોઇએ, એમ માનવામાં જરાએ અસ્વાભાવિક્તા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યક નિર્યુક્તિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબારાકૃતના સ્વરૂપને નિર્ણય કરવામાં જુનામાં જુને આધાર આપણું પાસે તત્વાર્થ ભાષ્ય સિવાય બીજો એકે નથી; અને તત્ત્વાર્થ ભાષ્ય તો સ્પષ્ટ રીતે અંગબાહ્યકૃતને ગણધર પશ્ચાતભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્યશ્રુતમાં સાથી પ્રથમ આવશ્યકના છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાહ્યની વ્યાખ્યા સંબંધી જે આવશ્યકનિયુક્તિની ગાથાનો ઉપયોગ કરે જ હોય તો તે તત્ત્વાર્થ ભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી.
હવે લઈએ એ નિર્યુકિત ગાથા ઉપરનું વિશેષ આવશ્યક ભાષ્ય - એ જ અત્યારે આપણું સામે નિર્યુકિતની જુનામાં જુની અને મેટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યશ્રતને સ્પટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે અર્થાત ક્ષમાબમશ્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાણશ્રતને ભેદ સૂચવતી ત્રણ લાખાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૃલભાષ્યમાં ભાખ્યકારે અંગપ્રવિષ્ટ અને અંગબાઘકૃતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી; પરંતુ ઉદાહરણ તરીકેના ગ્રંથને નિર્દેશ ભાષ્યના ટીકાકાર મલધારીશ્રી હેમચંદ્ર પિતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જેન આચાર્યોની પ્રકૃતિપરંપરા જેનાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીશ્રીએ જે ઉદાહરણ ટાંકયાં છે તે પોતાની
( ૪૮ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com