Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 197
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બાકીનાં ઉપકરણોનું પ્રતિલેખન કરવું, પછી સજ્ઝાય કરવી. આગળ ગાથા૧૪૩નાં વિવેચનમાં કહ્યું છે કે જો આટલો દોષ સંભવ રહે છે તો બધી ઉપધિની બંને વખત પ્રતિલેખન કરવું જોઈએ.- [નિશીથ ચૂર્ણિ.] ૧૯૭ (૫) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૬, ગાથા-૩૭.- શ્વસત્થીર્ પોરિસોર્, બિન્ધિવિત્તાળ માયળ । ટીકા :– વતુર્થાં પોરુષ્માં નિક્ષિપ્ય-પ્રત્યુપ્રેક્ષળાપૂર્વ વઘ્ના, માનનું-પાત્ર । ભાવાર્થ :- ચોથી પોરસી ચાલુ થતા જ ભાજનોનું એટલે પાત્રાઓનું પ્રતિલેખન કરીને બાંધીને રાખે. [નોંધ :- આ પાંચ પ્રમાણ લોકાશાહથી પણ સેંકડો વર્ષ પૂર્વનાં છે.] (૬) આચાર્ય આત્મારામજી મ.સા.એ પણ ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૬ ગાથા—૩૭માં ચોથા પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરવાનું લખેલ છે. (૭) આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાંજે પાત્ર પ્રતિલેખન કરવાનું લખેલ છે. (૮) કવિ અમરચંદજી મ.સા. એ પણ શ્રમણ સૂત્ર(વિવેચન)માં પૃ. ૯૫, ૯૭, ૧૦૩ પર ત્રણ જગ્યાએ પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. (૯) જ્ઞાનગચ્છના આદિ કર્તા પૂજ્ય જ્ઞાનચંદજી મ.સા.ની સમાચારી નં. ૩માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખેલ છે. (૧૦) તેની નેશ્રાગત સાધ્વીપ્રમુખા શ્રી નંદકુંવરજી મ.સા.ની સમાચારી ધારણા અને રિવાજ પણ બે વાર પ્રતિલેખનાનો છે. (૧૧) આચાર્ય હસ્તીમલજી મ.સા.ના સંતોની ધારણા બે વાર પ્રતિલેખનની છે. (૧૨) શ્રમણસંઘના સાદડી સંમેલનનું વિધાન–પ્રસ્તાવ ૧૬માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. આ છાપેલા પુસ્તકમાં છે. પૂના સંમેલનમાં પણ આ જ નિર્ણય થયો છે. = ન (૧૩) સમર્થ સંસ્મરણ(પૃ. ૨૮૯) :– પૂજ્ય બહુશ્રુત સમર્થમલજી મ.સા. એ સાદડી સંમેલનના પ્રસ્તાવ નં. ૧૬ ઉપર ટિપ્પણી લખી તેને ઘીસૂલાલજીએ સમર્થ સંસ્મરણ પા. ૨૮૯માં છપાવેલી છે. તે આ પ્રમાણે છે– પ્રસ્તાવ ૧માં ‘વસ્ત્ર પાત્રનું બે વખત પ્રતિલેખન કરવાનું બતાવેલ છે. પરંતુ અન્ય ઉપકરણો માટે કંઈ કહ્યું નથી. જ્યારે અન્ય ઉપકરણોની પ્રતિલેખના ન કરવી તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. માટે વસ્ત્રપાત્રની સાથે ‘પાટ-બાજોઠ’ શબ્દ વધારે જોડવો જોઈએ તથા બે સમયની આગળ પુસ્તક પાનાનું તેમજ સ્થંડિલભૂમિનું પડિલેહણ એક વખત કરવું; આ પણ હોવું જરૂરી હતું. આ સમીક્ષામાં બહુશ્રુત પૂ. મ. સાહેબે વસ્ત્ર-પાત્ર-પાટ-બાજોઠનું બે વખત પ્રતિલેખન કરવાની પોતાની માન્યતા સ્પષ્ટ કરી છે, માટે તેના નામથી પાત્રાઓનું એક વખત પ્રતિલેખન કરવું ઉચિત થતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274