________________
૩૪
મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. ઉજજેન અતિપ્રાચીન નગર, વળી દેશના મધ્ય ભાગમાં અને અનેક રાજવંશની તે રાજધાની બની ચૂકેલું હતું એટલે મહાક્ષત્રપ રુદ્રદામાએ પણ રાજધાની તરીકે ઉજૈનને જ પસંદ કર્યું.
વ્યાપારની દ્રષ્ટિએ પણ વિશેષતાવાળું શહેર હતું, પશ્ચિમ કાંઠાના બંદરોના મેટા ભાગના વ્યાપારી શહેરની વચ્ચે હતું એટલે વ્યાપાર ઉપર નજર રહી શકે, સાથે સાથે તે વિદ્યા અને અને સંસ્કૃતિના ધામ તરીકે પણ પ્રસિદ્ધ હતું, યૂરેપના રેખાંશ અને સૂર્યમાન જેમ ગ્રીનવીચથી મપાય છે. તેમ હિંદના રેખાંશો અને સૂર્યમાન ઉજજૈનથી અપાય છે. એ રીતે સરસ્વતી ને લક્ષમી બન્નેની સાધનામાં એ શહેર વિશિષ્ટ હતું એટલે ઉજજૈન પસંદ આવે એ સ્વાભાવિક હતું. સુદર્શન તળાવને પુનરૂદ્ધાર—.
વળી સુરાદ્ધ ઉપર તેને પ્રેમ તે હવે જ. તે ગિરનારના સુદર્શન તળાવને સમરાવીને તેણે બતાવી આપ્યો.
ગિરનારની તળેટીમાં ગિરિનગર હાલનું જુનાગઢ કે ઉપરકોટ શહેર પાસે સુદર્શન નામનું તળાવ હતું. તે તળાવ રૂદ્રદામાથી સાડા ત્રણ વર્ષ પહેલાં સમ્રાટું ચંદ્રગુપ્ત મૈર્યના વખતમાં, tબંધાયુ હતું. રૂદ્રદામાના વખતમાં અતિવૃષ્ટિના કારણે એક વખત ખૂબ છલકાઈ ગયું, પાણીના મારથી તેને બંધ તૂટી ગયે. પરિણામે આખું તળાવ ખાલી થઈ જઈ, ભયંકર જંગલ પહાડની ખીણ-કેતર બની ગયું હતું પ્રજામાં આથી ભારે અસંતોષ ફેલાઈ ગયા હતા.
રૂદ્રદામાએ પ્રજાને સંતુષ્ટ કરવાનો આ ઘણેજ અગત્યને, ઉપયુક્ત પ્રસંગ જે. તેણે એ તળાવને પહેલાં હતું તેના કરતાં ત્રણગણું લાંબુ, પહેલું અને સુંદર ફરી બંધાવ્યું. તેના સમારકામને બધો ખર્ચ તેણે પિતાની ખાનગી રકમમાંથી આપ્યો હતો. મંત્રીઓની *સમ્મતિ નહી હોવા છતાં તેણે તળાવને સમરાવ્યું અને તેના ખર્ચ માટે પ્રજા પાસેથી એક પૈસો પણ લીધે ન હતું, તે નિમિત્તે પ્રજા ઉપર કશે કરવેરે તેમ નજરાણા પણ લીધાં ન હતાં. આ બધાની પ્રજા ઉપર ભારે અસર થઈ.
તે વખતે સુરાષ્ટ્રને સૂબે સુવિશાખ હતા તેની દેખરેખમાં તળાવનું સમારકામ થયું હતું. તેણે તે તળાવની યાદગીરીમાં એક પ્રશસ્તિ કેતરાવી છે. અત્યારે પણ “અશોક રક” જેમાં અશેકની ચાદ આજ્ઞાઓ કોતરાયલી છે તેમાં આ પ્રશસ્તિ આળેખાયેલી છે. તે રૂદ્રદામાની પ્રશસ્તિ તરીકે વિખ્યાત છે.
સમ્રા ચંદ્રગુપ્ત મૌર્યના વખતમાં બંધાયું હતું અને અશેકવર્ધનના વખતમાં તેમાંથી નહેરો કાઢી હતી.
* ૧૭મલ્લાક્ષત્રપજી મતિસવિર્મસ...મનલ્સદવિમલમતિમિઃ * ૧૬-૧૬-ગાત્રા નિરિકાયનિયમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com