Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 63
________________ શિલાલેખ અને અનુવાદો. તળાવ આખુ ફુટી ગયું અને તેમાંનુ બધુ પાણી તે ગાબડા વાટે બહાર ચાલ્યું ગયુ. છેવટે તે તળાવ ભયંકર જંગલ જેવું દેખાવમાં દુર્દર્શન થઈ ગયું. આ વખતે આખા આનર્ત અને સુરાકાન્ત ઉપર સમ્રા રૂદ્રદામા તરફથી પહુલવ જાતિના કુલેપના પુત્ર સુવિશાખ સૂબા તરીકે અમલ ચલાવતો હતો તેણે મહાક્ષત્રપ રૂદ્રદામાની આજ્ઞાથી તળાવને મજબૂત પાળા બંધાવ્યા, નાળાઓ મૂકાવ્યા, તેમાંથી નહેરો કાઢી, તળાવને ફરતા ઘાટો કર્યા, અને પહેલાં હતું તેના કરતાં ત્રણગણું વિશાળ સુદર્શન સરોવર બંધાવી તેને પુનરૂદ્ધાર કરાવ્યા. - સુદર્શન તળાવના એ લેક કલ્યાણના કાર્યની અમર યાદમાં સૂબા સુવિશાએ આ શિલાલેખ કતરા છે. આ શિલાલેખમાં મહાક્ષત્રપ રુદ્રદામાએ પિતાની પૂર્વે થઈ ગયેલા માર્ય સમ્રાટું ચંદ્રગુપ્ત અને તેના પ્રાંતીય સૂબા વૈશ્ય પુષ્યગુપ્ત તથા મર્યસમ્રાટ અશોક અને તેના યવન સૂબા તુષારૂ જેમણે આ સુદર્શન તળાવ અનુક્રમે બંધાવ્યું હતું અને તેમાંથી બ્લેરો બંધાવી સુશોભિત કર્યું હતું અર્થાત્ અનુક્રમે નિર્માણ કરતા, અને નહેર બંધાવનારના નામ પિતાના શિલાલેખમાં કેતરાવી પિતાના હૃદયની વિશાળતા બતાવી છે. ખડકનું માપ, તે ખડક ગ્રેનાઈટના ખરબચડા પત્થરને છે. તેનું circumference ઘેરા ૭૫ ફિટથી પણ વધારે છે. તે પોલાશંકુના આકારનો છે અને જમીનની સપાટીથી લગભગ બાર ફીટ ઉંચી છે. ખડક ઉપરના લેખે. તેની ઉપર કેરાયેલા કુલ ત્રણ શિલાલેખો છે, તે ત્રણે ખડકના જુદા જુદા ભાગમાં કેતરાયેલા છે તેમાં– (૧) અશોકના ચેદ શાસનવાળો શિલાલેખ ખડકની ઉત્તર પૂર્વ દિશા-ઈશાન ' ખૂણામાં કેતરાયલે છે. (૨) મહાક્ષત્રપ રુદ્રદામાને શિલાલેખ ખડકની ઉત્તર દિશામાં પશ્ચિમ તરફ છે. (૩) સ્કંદગુપ્તને શિલાલેખ નીચેના ભાગમાં દરવાજામાં પેસતાં સામેજ નજરે પડે છે. ખડકની દિશા. તે આ ખડક એવી રીતે પડે છે કે તેમાં કોતરાયેલ સમ્રા અશોકને શિલાલેખ ગિરનાર પર્વતની સન્મુખ આવે છે એટલે કે પૂર્વ દિશામાં છે. અને મહાક્ષત્રપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96