________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૬૫ ચોથી વાત ઃ ક્રોધ અને માન પર વિજય મેળવ્યા પછી એ મહાત્મા માયા પર પણ વિજય પ્રાપ્ત કરે. કોઈપણ જીવ સાથે વંચના કરવાનો વિચાર એના મનમાં ઊગે નહીં. શા માટે માયા કરવાની? શા માટે દંભ કરવાનો? ભવસંસારનાં સર્વ સુખો તરફ વૈરાગ્ય પ્રગટી ગયા પછી, પોતાના વ્યક્તિત્વ પ્રત્યે પણ નિર્મોહી બની ગયા પછી માયા-કપટ-દંભ કોના માટે કરવાનાં? સંસારથી વિરક્ત આત્માને, માણસને કંઈ છુપાવવાનું હોતું નથી. પછી એ દંભનો આશ્રય શા માટે લે?
પાંચમી વાત : વિરક્ત-વૈરાગી માણસની સર્વ તૃષ્ણાઓ વિરામ પામી જાય છે. ન કોઈ લોભ, ન કોઈ તૃષ્ણા. આત્મગુણોના પ્રગટીકરણનો આત્તર પુરુષાર્થ કરતા મહાત્માને સંસારનાં ભૌતિક-વૈષયિક સુખોની તૃષ્ણા હોય જ નહીં. ચક્રવર્તી રાજાનાં કે દેવલોકના દેવેન્દ્રનાં સામ્રાજ્ય પણ વૈરાગીને તૃણસમ લાગે છે. શારીરિક સુખોમાં એ ઉદાસીનભાવે વર્તતો હોય છે, આશાઓ અને તૃષ્ણાઓના નાગપાશમાંથી મુક્ત થયેલો યોગી સમભાવના પ્રશાંત સાગરમાં તરતો હોય છે.
છઠ્ઠી વાત : આવા તૃષ્ણાવિજેતા યોગી વનમાં હોય કે નગરમાં, એને બંને સમાન હોય છે. એ મહાત્મા ક્ષેત્રાતીત બનીને વિચરતો હોય છે. એને નથી અકળાવતી વનની એકલતા કે નથી આકર્ષતી નગરની જાહોજલાલી. એને નથી આકર્ષતું વનનું સૌન્દર્ય કે નથી અકળાવતો નગરનો ઘોંઘાટ,
આવા નિર્મોહી મહાત્મા પાસે કોઈ મિત્ર બનીને આવે કે કોઈ શત્રુ બનીને આવે, મહાત્માને બંને તરફ સમભાવ હોય છે. મિત્ર તરફ રાગ નહીં, શત્રુ તરફ દ્વેષ નહીં.
આવા યોગીના શરીરે કોઈ શીતળ ચંદનનાં વિલેપન કરે કે કોઈ છરીના ઘા કરે, યોગીને બંને તરફ સમભાવ હોય. ચંદનના વિલેપન કરનાર તરફ રાગ નહીં, છરીના ઘા કરનાર તરફ જ નહીં.
આવા મહાત્માની સામે મૂલ્યવાન રત્નો અને કીમતી મણિના ઢગલા હોય કે તુચ્છ ઘાસના ઢેર પડ્યા હોય, મહાત્માને મન બંને સમાન! રત્નો ને મણિ એને લલચાવી ન શકે, ઘાસના પૂળા એને અકળાવી ન શકે.
આવા અવતની સામે સવર્ણની પાટો પડી હોય કે માટીનાં ઢેફાં પડ્યાં હોય, અવધૂતને મન બંને સમાન! સુવર્ણ મોહ ન જન્માવી શકે, માટી દ્વેષ પેદા ન કરી શકે,
For Private And Personal Use Only