Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 280
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬૨ અનંત અને અમર વર્ધમાન ઊભા થયા અને ચાલ્યા ગયા. અનંત એમને નીરખતો રહ્યો. આવો પુરુષ મેં ક્યારેય ક્યાંય નિહાળ્યો નથી. તેણે વિચાર્યું : હું પણ ઇચ્છું છું કે હુંય આ રીતે આટલી મુક્તતાથી, આટલી યોગ્યતાથી, આટલા સંયમથી, આટલી નિખાલસતાથી, આટલી નિર્દોષતાથી અને આટલી રહસ્યમયતાથી નીરખી શકું અને સ્મિત વેરી શકું, બેસી શકું, અને ચાલી શકું! મનુષ્ય જ્યારે પોતાના સ્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય ત્યારે જ આ રીતે નીરખી શકે અને ચાલી શકે. મારા સ્વ પર વિજય મેળવીશ.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંતે વિચાર્યું : વર્ધમાને મને લૂંટી લીધો! તેમણે મને લૂંટી લીધો છે છતાંય તેમણે મને બહુમૂલ્ય કૈંક આપ્યું છે. તેમણે મને અનંત આપ્યો! મારી જાત મને પાછી આપી! પરમ તેજસ્વીએ એક વાત અપૂર્વ કહી, ‘આ વિશ્વને પૂર્ણ જો! રાગ-દ્વેષમોહ વિના જ વિશ્વને પૂર્ણ જોઈ શકાય ને પૂર્ણાનન્દ પામી શકાય!' અદ્ભુત વાત કરી. [૪] અનંત ગુણશીલ ચૈત્યના ઉપવનને છોડી, રાજગૃહીથી દૂર અરણ્ય તરફ ચાલી નીકળ્યો. તેને લાગ્યું કે વાસ્તવમાં તે હમણાં જ જાગ્રત થયેલી કે નવજન્મ પામેલી વ્યક્તિ જેવો છે. હવે તેણે સંપૂર્ણપણે નવેસરથી જીવનનો પ્રારંભ કરવો જોઈએ.' તેણે પોતાની આસપાસ નિહાળ્યું, જાણે કે વિશ્વને પ્રથમવાર જ નિહાળતો હોય તેમ, વિશ્વ સુંદર, અપરિચિત અને રહસ્યમય લાગ્યું. અહીં ભૂરો રંગ હતો. પીળો રંગ હતો. લીલો રંગ હતો, આકાશ અને સરિતા, અરણ્યો અને પર્વતો બધું સુંદર લાગ્યું. લયબદ્ધ લાગ્યું. તે શાન્ત ઊભો રહ્યો. એક ક્ષણ માટે હિમશી ઠંડીએ તેના પર આક્રમણ કર્યું. આ તેની જાગૃતિની છેલ્લી કંપારી હતી. તેના જન્મની અંતિમ પીડા હતી. તેણે મંદગતિએ ચાલવા માંડયું. અતીત તરફ નજર નાંખ્યા વિના ચાલવા માંડયું. પંથ પર પ્રત્યેક પગલે અનંત કૈંક નવું પામતો હતો, કારણ કે તેનું વિશ્વ પરિવર્તિત થયું હતું અને તે આંતર આનંદથી તરબોળ હતો. તેણે સૂર્યને અરણ્ય અને પર્વત પર ઉદય પામતો નિહાળ્યો. દૂરનાં તાડવૃક્ષોની પાછળ અસ્ત પામતો નિહાળ્યો. રાત્રિના તેણે આકાશમાં તારાઓ નિહાળ્યા અને નભમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283