Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 247
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૯ લય-વિલય-પ્રલય મુનિ કામવિજેતા હતા! સમતાના શીતલ પવિત્ર સરોવરમાં ઝીલતા રાજહંસ હતા. પગમાં ઝાંઝર સાથે હવેલીમાંથી બહાર નીકળ્યા, ત્યારે લોકનિંદા અને લોક-તિરસ્કારનો અસુર પાછળ પડ્યો હતો. પરંતુ મુનિવરના લય-વિલયને જરાય આંચ ન આવી! જ્યારે રાજાએ પ્રજાને સાચી વાત જણાવી, લોકો મુનિરાજની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે પણ એમનાં અંતઃકરણમાં વહી રહેલું આત્મજ્ઞાનરૂપ લયનું ઝરણું વહેતું જ રહ્યું! નિંદા-પ્રશંસા એમના માટે સમાન હતાં. કંચનપુરમાં જ્યારે રાજાના સેવકોએ-સૈનિકોએ મુનિ પર પ્રહારો કરવા માંડયા... રાજાની પાસે લઈ ગયા... રાજાએ પણ અત્યંત આક્રોશ કર્યો... આરોપ મૂક્યો... ખાડામાં ઉતાર્યા... ત્યારે પણ ઝાંઝરીયા મુનિનો આત્માનુભવરૂપ લય અખંડ રહ્યો એટલું જ નહીં, એ લય પ્ર-લય બની ગયો. રાજાની તલવાર એમના ગળા પર ઝીંકાઈ ત્યારે તેઓ ચિદાનંદમાં લીન હતા! દેહાવસાનની સાથે જ કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા. કામ-ક્રોધ, લોભ-મદ-માન-હર્ષના અસુરોની વચ્ચે જે પુરુષ આત્મજ્ઞાનનો લય જાળવી રાખે છે, તે પૂર્ણાનન્દ પામે જ છે. અને રાજાને પણ જ્યારે પોતાની ભૂલ સમજાણી ત્યારે? ઘોર પશ્ચાત્તાપ, કરુણ કલ્પાંત... અંતઃકરણથી ક્ષમાયાચના... અને પુનઃ પુનઃ આત્મનિંદા કરતાં કરતાં આત્મજ્ઞાન થયું! આત્મજ્ઞાનનો લય લાગી ગયો... મન-વચનકાયાના યોગો સમભાવમાં સ્થિર થઈ ગયા! અને રાજા કેવળજ્ઞાની બની ગયા. વીતરાગ બની ગયા! થોડા જ સમય પહેલાંનો ઋપિનો હત્યારો, કેવળજ્ઞાની બની દેવાર્પિત સાધુવેશ ધારણ કરી, સ્વર્ણકમળ પર બિરાજમાન થયો! આ પ્રભાવ લયનો હતો, વિ-લયનો હતો, પ્ર-લયનો હતો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283