Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 275
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય _૨૫૭ ઉગ્ર સ્વરે બંનેને ઉપાલંભ આપ્યો. અમર આશ્ચર્ય પામ્યો પણ અનંતે અમરના કાનમાં કહ્યું : “હવે હું આ વૃદ્ધને પ્રતીતિ કરાવીશ કે હું પણ તેમની પાસેથી કંઈક શીખ્યો છું!' તે શ્રમણની નિકટ ઊભો રહ્યો. તેણે મનને એકાગ્ર કર્યું. વૃદ્ધની આંખોમાં આંખો પરોવી અને પોતાની દૃષ્ટિથી તેમને જ કડી રાખ્યા. તેમને વશીભૂત કર્યા. તેમને મુંગા કર્યા. તેમના મનોબળ પર વિજય મેળવ્યો અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તવાનો મૂકાદેશ આપ્યો. તે વૃદ્ધ શાન્ત બની ગયા. તેમની આંખો જડાઈ ગઈ. તેમનું મનોબળ પાંગળું બન્યું. તેમના હાથ લબડી પડ્યા. અનંતની મોહિનીથી તે શક્તિહીન બની ગયા. અનંતના વિચારોએ વૃદ્ધ શ્રમણના વિચારો પર વર્ચસ્વ પ્રાપ્ત કર્યું. તે વૃદ્ધ તાપસે અનંત-અમરને આશીર્વાદ આપ્યા. શુભ પ્રવાસની ઇચ્છા વ્યક્ત કરી. બંને યુવાનોએ તેમની શુભેચ્છા બદલ આભાર માન્યો, તેમને વંદન કર્યો અને વિદાય લીધી. માર્ગમાં અમરે કહ્યું : “અનંત, હું જાણતો હતો એના કરતાં તું તાપસો પાસેથી વધુ શીખ્યો છે. વૃદ્ધ તાપસને વશીભૂત કરવાનું કાર્ય દુષ્કર છે. અતિ દુષ્કર છે. વાસ્તવમાં તો તું હજી ત્યાં રહ્યો હોત તો પાણી પર ચાલતાં પણ શીખી ગયો હોત! “પાણી પર ચાલવાની મારી ઇચ્છા નથી. ભલે વૃદ્ધ શ્રમણો જ આવી કળાઓથી પોતાની જાતને સંતોષે!” અનંત બોલ્યો. [3]. રાજગૃહી નગરીમાં એક એક વ્યક્તિ પરમ તેજસ્વી પરમ પ્રશાંત વર્ધમાનનું નામ જાણતી હતી. અને એક એક ઘર શાંતિપૂર્વક ભિક્ષા માગતા વર્ધમાનના શિષ્યોનાં ભિક્ષાપાત્ર છલકાવી દેતા હતા. નગરીથી થોડે દૂર વર્ધમાનનો નિવાસ હતો – ગુણશીલ ચૈત્ય. આ નિવાસ મગધનરેશ રાજા શ્રેણિકે શ્રમણોને નિવાસ કરવા આપેલો હતો. વર્ધમાનના નિવાસની શોધમાં નીકળેલા આ બે તાપસ શ્રમણો એક ગૃહના દ્વારે શાંતિપૂર્વક ભિક્ષા યાચતા ઊભા, એ ઘરમાંથી તેમને સત્વરે ભોજન આપવામાં આવ્યું. અનંતે ભિક્ષા આપનાર સ્ત્રીને પૂછયું : “હે સન્નારી, પરમ તેજસ્વી વર્ધમાન ક્યાં વસે છે તે જણાવશો? અમે બંને અરણ્યવાસી શ્રમણો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283