________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિય-વિલય-પ્રલય
૨૦૩ ‘કૃપાળુ! દંભી અને પાખંડી માણસો જલદી ઓળખાતા નથી. આ તો સારું થયું કે મને ગંધ આવી ગઈ. નહીંતર આજ કાલમાં કોઈ ભયંક દુર્ઘટના બની જાત.”
સાચી વાત છે, તેં ખરેખર મારું હિત કર્યું છે. હવે આ દુર્મતિ દંભી રાજ કુમાર, તને સોંપું છું. તને જે ઉચિત લાગે તે શિક્ષા કરજે. હવે મને પૂછવા ન આવીશ.”
રાજાએ દીર્ઘ વિચાર કર્યા વિના, આચાર્યદેવને મળી તેમનો ખુલાસો લીધા વિના, દુષ્ટ પાલકને શિક્ષા કરવાનું કામ સોંપી દીધું. જો સત્ય સમજવાની થોડી પણ ધીરતા હોત તો ભગવાન મુનિસુવ્રત સ્વામી પાસે જઈને પણ ખુલાસો કરી શકત. પરંતુ વિનાશકાળે વિપરીત બુદ્ધિ!
રાજા મહેલમાં ચાલ્યો ગયો. તેણે રાણીને પણ વાત ન કરી. પુરંદરયશા તો ખૂબ આનંદનો અનુભવ કરી રહી હતી. આજે ઘણા સમયે તેને પોતાના ભાઈનાં દર્શન થયાં હતાં.
પાલકની ખુશી સમાતી નથી. વેરનો બદલો લેવા તે થનગની ઊઠ્યો. તેણે રાજાના પાંચ-દશ ખુશામતખોરોને સાથે લીધા અને અંદાચાર્ય પાસે ગયો. ઉદ્ધતાઈપૂર્વક તેણે સ્કંદાચાર્યને કહ્યું :
“હે દંભી રાજકુમાર, તારી કપટજાળ છેદાઈ ગઈ છે. તારી આશાઓ ધૂળમાં મળી ગઈ છે. તે ઉદ્યાનમાં છુપાવી રાખેલાં શસ્ત્રો ખુલ્લાં થઈ ગયાં છે અને મહારાજ દંડકે તને રાજ્યનો અપરાધી ઘોષિત કર્યો છે.”
“હે પાલક, તું શું બોલે છે? શાનાં શસ્ત્રો અને શાની વાત? અમે તો નિર્ઝન્થ સાધુઓ છીએ, અમારે શસ્ત્રોનું શું પ્રયોજન છે?' કુંદકાચાર્યે શાન્તિથી જવાબ આપ્યો.
અરે, હજું તું નિર્દોષ દેખાવાનો ડોળ કરે છે? કુંભકારકટનું રાજ્ય લેવાની તમન્ના હમણાં જ ધૂળમાં મળી જશે. હવે તું તારો બચાવ કરવાનું ત્યજી દે.”
પાલક, અમારે રાજ્યનું શું કામ છે? શ્રાવતિનું રાજ્ય પણ ત્યજી દીધું છે. મિથ્યા દોષારોપણ કરી તું શા માટે પાપથી ભારે થાય છે?”
સ્કંદકાચાર્યને ભગવંતનાં કહેલાં વચન યાદ આવ્યાં, “મારણાન્તિક ઉપસર્ગ આવશે”, તેમને પાલકની જ પાપ-રમતની ગંધ આવી.
કુમાર, તું અને તારા પાંચસો સાથીદારો પરલોકની તૈયારી કરો. તમારા માટે હમણાં જ આ ઉદ્યાનમાં મોટી ઘાણી ગોઠવાશે. તારા પાપની સજા તને મળી જશે.”
For Private And Personal Use Only