Book Title: Lay Vilay Pralay
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 244
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૭ ઝાંઝરીયા મુનિ તેઓ વિહાર કરી કંચનપુરમાં પધાર્યા. કંચનપુરના રાજમાર્ગ પરથી નીચી દૃષ્ટિએ અને મધ્યમ ગતિએ પસાર થાય છે. રાજમાર્ગ પર જ રાજમહેલ હતો. રાજમહેલના ઝરૂખામાં રાજારાણી બેઠાં બેઠાં નગરચર્યા જોઈ રહ્યાં હતાં અને વાર્તાલાપ કરી રહ્યાં હતાં. ત્યાં બંનેની નજર મુનિરાજ પર પડી. રાણીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. રાજાને આશ્ચર્ય થયું : “આ સાધુને જોઈ રાણી કેમ રડવા લાગી? સાધુ યુવાન છે, રૂપવાન છે. શું પૂર્વાવસ્થામાં રાણીનો પ્રેમી તો નહીં હોય? સાધુવેશમાં એ રાણીને મળવા તો આ નગરમાં નહીં આવ્યો હોય? એ રાણીને મળે, એ પહેલાં તો એને પરલોકમાં પહોંચાડી દઉં.” રાજા કંઈ જ બોલ્યા વિના ત્યાંથી ઊઠીને ઘોડા પર બેસી નગરની બહાર ઉદ્યાનમાં ગયો. ઉદ્યાનના માણસો પાસે એક ઊંડો ખાડો ખોદાવરાવ્યો. સેવકસૈનિકોને મોકલી મુનિને ત્યાં બોલાવ્યા. સેવકોને કહ્યું : “એ સાધુએ મારા નગરને વટલાવ્યું છે. એને મારતા મારતા અહીં લઈ આવો. એ સાધુ નથી, પાખંડી છે.' સૈનિકો મુનિવરને ઉદ્યાનમાં લઈ આવ્યા. રાજાએ ભયંકર ક્રોધથી મુનિને કહ્યું: “રે પાંખડી, આ ખાડામાં ઊભો રહી જા. તારા ભગવાનને યાદ કરી લે. અહીં જ અત્યારે તારાં સો વર્ષ પૂરાં થઈ જશે. મુનિ ખાડામાં ઊભા રહી ગયા. - મુનિવરનો સમતારસનો લય અખંડ હતો. - શરીર અને આત્માના ભેદજ્ઞાનથી તો નિર્ભય હતા. - તેમણે ૮૪ લાખ જીવયોનિને ખમાવી. - ઉદયમાં આવેલાં કર્મોની આલોચના કરી. - પરમાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન બની ગયા. - ભીતરમાં ચિદાનંદની દિવ્ય અનુભૂતિ થવા લાગી.. - રાજાએ તીવ્ર ક્રોધમાં અંધ બની યુનિરાજના ગળા પર તલવારનો પ્રહાર કરી દીધો.. એ જ ક્ષણે કેવળજ્ઞાની બની, મુનિ મોક્ષગામી બની ગયા. મુનિરાજનું રજોહરણ, વસ્ત્રો, કંબલ... બધું લોહીથી લથપથ થઈ ગયું. ૦ ૦ ૦ મુનિરાજનું રજોહરણ ખાડાની બહાર પડયું હતું. લોહીથી રંગાઈ ગયું હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283