________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
લય-વિલય-પ્રલય
અમે તો પ્રતિપલ મૃત્યુને ભેટવા તૈયાર જ હોઈએ છીએ. સમાધિમૃત્યુની આકાંક્ષા કરતા જ વિચારીએ છીએ.”
પાંચસો સાધુઓ મૃત્યુને ભેટવા કટિબદ્ધ બની ગયા. તેમના મુખ પર અપૂર્વ ઉત્સાહ અને પરાક્રમ દીપી રહ્યાં હતાં. ભય, ગ્લાનિ કે વિકલતાનો એક અંશ. પણ દેખાતો ન હતો. કુંદકાચાર્ય ઘાણીની પાસે ઊભા રહ્યા.
પાલક, બોલ હવે હું ઘાણીમાં કૂદી પડું?' નહીં પ્રભુ, પહેલો હું કૂદી પડીશ.' કંદરાચાર્યના પટ્ટશિષ્ય આગળ આવ્યા.
ના ગુરુદેવ, પહેલો હું!' એક સુકોમળ બાળમુનિ, સ્કંદકાચાર્યન હાથ પકડી આગ્રહ કરવા લાગ્યા.
પાલક આંખો ફાડી આ દૃશ્ય જોઈ રહ્યો હતો. ત્યાં તો પટ્ટશિષ્ય જય ઋષભદેવ! જય મુનિસુવ્રતાની ઘોષણા સાથે ઘાણીમાં ઝંપલાવી દીધું. ઘાણી ફરવા લાગી. આચાર્યની ગંભીર વાણી ગાજી ઊઠી :
“હે વીર! અરિહંત આદિનાં ચાર શરણ અંગીકાર કર... નમો અરિહંતાણ... નમો સિદ્ધાણં નમો આયરિયાણાં... નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ.'
તડડડ...તડડડ..ફડ... હાડકાં તૂટવા માંડ્યાં. ઘાણી ફરતી ગઈ. લોહીના ફુવારા ઊડ્યા. મુનિ શુક્લધ્યાનમાં લયલીન બની કેવળજ્ઞાની બની મુક્તિ પામ્યા.
હજુ એક મુનિવરનું કલેવર પૂરું કચડાયું ન હતું ત્યાં બીજા મુનિ ઘાણીમાં કૂદી પડ્યા. “જય ઋષભદેવ! જય મુનિસુવ્રત!' ની ઘોષણા થઈ. નવકાર મંત્રનો ધ્વનિ ઊઠયો. હાડકાં દળાવા લાગ્યાં. પાલક હાડકાં દળતો હતો. મુનિવરો કમને દળતા હતા.
એક પછી એક મુનિ ઘાણીમાં ઝંપલાવતા ગયા. પાલક પીલતો ગયો, મુનિવરો મુક્તિધામમાં પહોંચતા ગયા. હવે માત્ર બે બાકી રહ્યા હતા. એક પોતે કુંદકાચાર્ય અને બીજા એક સુકુમાર બાલમુનિ.
‘પાલક, હવે તું મને પીલી નાખ. આ બાલમુનિને પિલાતો હું નહીં જોઈ શકું. મારી આ એક વાત માની જા.”
પરંતુ પાલકે આચાર્યની વાત ન માની. બાલમુનિ આગળ આવ્યા અને પાલકને કહ્યું : “તું મને પીલી નાંખ, હું કર્મોને પીલી નાંખીશ!” આચાર્યને
For Private And Personal Use Only