________________
સર્પનો ભવ તો તેની ભૂલનું પરિણામ હતું, પણ મૂળ તો તે સાધુ જ હતા ને ? માસક્ષમણને પારણે માસક્ષમણ કરતાં તપસ્વી મુનિવર હતા. પારણે પણ વીર્યબળથી જ ગોચરીની ગવેષણા કરનારા, પણ આંખનું તેજ ઘટી જવાથી દેડકી ઉપર પગ આવ્યો. નાની શી દેડકી તુરંત મૃત્યુ પામી. બાળસાધુ વડે આ દેડકીની વિરાધના જોવાઈ અને પ્રતિક્રમણ વેળા તે મુનિવરને એવું પૂછ્યું કે આપે “દેડકી માર્યાની આલોચના કેમ ન કરી? તે સાંભળી તપસ્વી મુનિવર રોષાયમાન થઈ ગયા અને બાલ્સાધુને મારવા દોડતા અંધારામાં થાંભલો અથડાયો અને મૃત્યુ પામ્યા.
આ અસમાધિ મરણે એક વખત તો તેને દ્રષ્ટિવિષ સર્પનો ભવ આપી દીધો; પણ તે સાધુપણું પાળીને આવેલા મુનિવર તો હતા જ ને ? જાતિસ્મરણ જ્ઞાન પામેલા તે સર્વે સમભાવપૂર્વક અચિત્ત આહારથી જ જીવનની નાવ હંકારી. સર્પના ભાવમાં જ્યારે તેના દેહના ટુકડે ટુકડા થઇ ગયા, તો પણ સમભાવ ન ગુમાવ્યો.
પરિણામ કેટલું સુંદર ! મૃત્યુ પછી તે સર્પ રાજપુત્ર બન્યા, તો પણ પૂર્વે આરાધેલ શ્રમણપણાને લીધે રાજ્યમાં આસક્તિ ન કરતાં વૈરાગ્યવાન મુનિવર બન્યા.
“કારણ કે તે સાધુ હતા”
[19]
મુનિશ્રી દીપરત્નસાગરજી