________________
માત્ર નાટક જોતી હતી; પણ અષાઢાભૂતિને વાસ્તવમાં કેવળજ્ઞાન થઇ ગયું - 500 રાજકુમાર પણ સાધુ બની ગયા. છતાં પ્રેક્ષકોને મન તો હજી પણ આ નાટક જ હતું.
કઈ ઘટના ઘટી ? નાટકિયાઓએ સંસારને જ નાટક માની લીધું ! ક્યાં વમળો સર્જાયા કે રાગી ચિત્ત વિરાગી બની ગયું ? કયો જાદૂ થયો કે સંપત્તિની પ્રાપ્તિ માટે જ વેશ ભજવનારા સંપત્તિને સર્વથા છોડી નીકળી ગયા ?
ના ! એ ઘટના, એ વમળ કે એ જાદૂ ન હતો - એ હતા માત્ર સંસ્કાર. સૂતેલા સંસ્કાર આળસ મરડીને જાગી ઉઠ્યા હતા. “કારણ કે તે સાધુ હતા.”
આ એ જ અષાઢાભૂતિ હતા, જે નાટક ભજવતાં પહેલા જ વૈરાગ્યથી વાસિત બન્યા હતા. આ એ જ અષાઢાભૂતિ હતા જે પોતાની બબ્બે સુંદર સ્ત્રીના ત્યાગના નિર્ણય સાથે જ નીકળેલા હતા; નાટક તો એક બહાનું હતું, કેવળ દાક્ષિણ્ય બુદ્ધિથી જ ભજવાયું હતું. અષાઢાભૂતિએ મોક્ષનગરી તરફ કદમ તો પહેલાં જ માંડી દીધાં હતા.
- “કારણ કે તે સાધુ હતા.”
રૂપ-પરાવર્તનની વિદ્યા જ તેને માટે પતનનું નિમિત્ત બની. નહીં તો પૂર્ણ વિનયી અને શુદ્ધ આચાર-પાલનકર્તા
“કારણ કે તે સાધુ હતા” [45]
મુનિશ્રી દીપરત્નસાગરજી