Book Title: Laghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ આ કુર્માપુત્રએ એક વખત મુનિને સિદ્ધાંતપાઠ કરતાં સાંભળ્યા. આ પાઠ સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનું શુદ્ધ સમ્યક્ત્વયુક્ત સાધુપણું નજરે નિહાળતાં, ચારિત્રવાસિત આત્મા જાગૃત થઇ ગયો. શુક્લધ્યાનની ધારાએ કુર્માપુત્રને ઘેર બેઠા બેઠા જ ભાવચારિત્ર સ્પર્શી ગયું અને આ ભાવચારિત્રની સ્પર્શનાએ તેને બનાવી દીધા કુમાંપુત્ર કેવલી. એટલું જ નહીં, પણ ચાર દીક્ષિત થયેલા મુનિરાજો પણ જ્યારે કુર્માપુત્ર કેવલી સમીપે આવ્યા અને મૌન ધારીને રહ્યા ત્યારે કુર્માપુત્ર કેવલીએ વર્ણવેલ ચારેના પૂર્વભવના સાધુ-સ્વરૂપને સાંભળીને તે ચાર મુનિરાજો કેવલી થયા. ભાવદીક્ષિત એવા કુર્માપુત્ર કેવલીએ પણ દ્રવ્યવેશને ગ્રહણ કરી, કેશનો લોચ કરી અનેક જીવોને બોધ આપ્યો. પણ આ બધાની પશ્ચાદ ભોમકામાં પડેલું જો કોઈ તત્વ હોય તો એક જ “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” + [64] + + મુનિશ્રી દીપરત્નસાગરજી

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82