________________
૭-મેતાર્યમુનિ
મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થીનું સ્મરણ કરીએ ત્યારે મેતાર્યમુનિ સ્મરણ-પટ પર અંકિત થયા વિના રહી શકે નહીં. માસક્ષમણના તપસ્વી મુનિ છે. ભીનું કરેલું ચામડું મસ્તકે બાંધીને સોનીએ તડકામાં ઊભા રાખેલ છે. એ જ ભયંકર ઉપસર્ગમાં આંખના ડોળા નીકળી પડે છે. પણ આ મરણાંત ઉપસર્ગ મધ્યે ડાળનું મોજું ક્ષાને પૂર્વકનું મMા વોસિરામિ તેને કેવળજ્ઞાન અને મોક્ષ આપી જાય છે.
એ ચાંડાલપુત્ર છે. તેનું આ નીચ કુળ તેને સાધનામાં બાધક ન બન્યું. શ્રેણિકરાજાના જમાઈ છે છતાં રાકુંવરીનું રૂપ પણ બંધનકર્તા ન બન્યું અને દેવતાના પ્રતિબોધથી વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરી મહાન તપસ્વી બન્યા.
ક્યાંથી આવ્યો આ વૈરાગ્યભાવ ? દેહ અને આત્માની ભિન્ન દશાનું ભાન અને મરણાંત ઉપસર્ગમાં પણ સમતા આ મહર્ષિને કઈ રીતે પ્રાપ્ત થયા ?
આ જ છે મારી અભિનવ ચિંતનયાત્રાનું નિષ્કર્ષબિંદુ. મેતાર્યમુનિએ પૂર્વે પુરોહિતપુત્ર હોવા છતાં ચારિત્ર અંગીકાર કરેલું. શુદ્ધ સંયમ જીવને આપ્યો તેઓશ્રીને વૈરાગ્ય-ભાવ.
“કારણ કે તે સાધુ હતા”
[23]
મુનિશ્રી દીપરત્નસાગરજી