________________
જૂઓ, .....ચિલાતીપુત્રના આ સમગ્ર જીવનમાં ક્યાંય ધર્માચરણ નથી. પૂર્વભવની સ્વપત્ની એવી સુંસમાનો તીવ રાગ છે અને આચરણ પણ ચોરી અને ખૂનનાં જ કર્યા છે; છતાં ચારણ લબ્ધિધારી મુનિને જોઇને ધર્મ-ઉપદેશ શ્રવણની ઈચ્છા જાગે. ત્રણ જ શબ્દોનો ઉપદેશ અને ચિલાતીપુત્રની ચિંતનયાત્રા તેને કાયોત્સર્ગમાં સ્થિર કરીને સાધુધર્મયુક્ત આરાધનામય બનાવી દે -
તે પણ ક્યાં સુધી? અઢી દિવસમાં તો ચિલાતીપુત્રના શરીરને કીડીઓએ ચાળણી જેવું બનાવી દીધું–તો પણ તે સમભાવે વેદના સહન કરે.
ક્યાંથી આવ્યો આ સમભાવ ? ક્યાંથી આવ્યું સમ્યક શ્રદ્ધાનું તત્વ ? ક્યાંથી ઉદભવ્યો આ ચારિત્રરાગ અને ક્યાંથી જન્મી આ મોક્ષપથની અભિલાષા ? બસ, એક જ કારણ. “કારણ કે તે સાધુ હતા.”
પૂર્વભવનું વિશુદ્ધચારિત્ર તેને તપસંયમની શક્તિ અર્પ ગયું. પૂર્વભવની નિશ્ચલતા તેને પળવારમાં સ્ત્રીના રાગમાંથી મુક્તિ અપાવી ગઈ. આ હતી પ્રાગૈતિહાસિક પ્રતિભા - આ હતી મોક્ષમાર્ગની પુરુષાર્થતા. કારણ કે તે સાધુ હતા.
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[17]
મુનિશ્રી દીપરત્નસાગરજી