Book Title: Jivan Vikas ane Vishvavlokan Author(s): Prabhudas Bechardas Parekh Publisher: Prabhudas Bechardas Parekh View full book textPage 8
________________ ધમે હામે વિજ્ઞાનને પટકવામાં આવે છે, પણ વિજ્ઞાનની સર્વ મહેલાતો કેવા તર્કના પાયા ઉપર રચાયેલી છે, એ આપણે ન જોઈ લીધું હોય તે તેથી આપણને ક્ષોભ ધર્મ અને વિજ્ઞાન ન થાય. વિજ્ઞાનની પણ મહેલાતે છે એમ આપણે સુખેથી કહીશું. વિજ્ઞાન મહેહેલને ચણાવે છે, ચલાવે છે, અને ભવિષ્યમાં કદાચ ઊંચા ચે ચઢાવશે. કેટલાક લોકે એનાથી કંટાળે છે કે ગભરાય છે કે ચીડાય છે. પણ એમાંનું કાંઈ કરવાની જરૂર નથી. અલબત્ત, એટલું ખરું કે એમાં પવાયેલું જીવન ઘણીવાર માનવ જીવનના મહત્તર પુરૂષાર્થોમાંથી પરાંડમુખ થાય છે. એ વિજ્ઞાન જ્યારે માનવોના વિનાશ કે વિષાદને અર્થે વપરાય, ત્યારે તે એ ન હોય તેય સારૂ, એમ પણ મનમાં થાય એ સ્વાભાવિક છે. પણ એ વિજ્ઞાનના ઉપયોગને પ્રશ્ન છે, અને તે પ્રશ્નમાં આપણે અત્યારે ઉતરતા નથી. વિજ્ઞાનમાં નેતૃત્વ ધરાવનારા જર્મનીમાં જ ત્યાંના નિએ આદિ અધ્યાત્મવાદી (વાઈટલિસ્ટ) ફિસ્ફેએ મહાસંગ્રામ પહેલાંથી જ અને રૂડેલ્ફ ઓકેન જેવા વિચારકેએ સંગ્રામ પછી, –જડવાદે આપેલી સામર્થ્ય અને સુખની આશાઓ કેવી ઝાંઝવાનાં જળ જેવી નીવડી છે, એ જાહેર કરી દીધું છે. હુને આશા છે કે ઈન્દ્રિયવિજ્ઞાનવાદની સંસ્કારહીન છે કે પછાડવાની અને ધાતગ જમાવવાની પરિપાટી (જેને પલ નેટ paofound nncultured dogmotism and adsolutism of the more empirists કહે છે) થી આપ મેહિત થશે નહિ. ધર્મ સંબંધી જે કટાક્ષ અને બેદરકારી પચ્ચીસ વર્ષ પૂર્વે હતાં તે આજ નથી. અને એના કારણે ઘણું છે. યુરોપમાં પણ મહાસંગ્રામ પહેલાં ધર્મ પ્રત્યે જે અશ્રદ્ધા ધર્મ અને જીવન હતી તેની તીણુતા કાંઈક ઓછી થઈ છે અને પાછું એક સંયેજક, નિયામક ને પૂજનીય તત્વ તરીકે ધર્મ તરફ વિદ્વાનનું લક્ષ ગયું છે. અનુભવે આપણને શીખવ્યું છે કે ધર્મ એ જીવનને નિયામક જ નથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 346