Book Title: Jain Vartao 01 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧] મૂરખ સિંહ અને ચાલાક વાંદરો આત્મા સિંહ જેવો શૂરવીર છે, પણ તે પોતાને ભૂલીને અજ્ઞાનથી કેવો દુઃખી થાય છે, તે વાત આ બોધચિત્ર આપણને સમજાવે છે. એક હતો સિંહ; એને ભૂખ લાગી. જંગલમાં એક ઝાડ ઉપર વાંદરો હતો; નીચે તેની છાયા હતી. સિંહને થયું કે મને સરસ શિકાર મળ્યો. પણ વાંદરો તો ઊંચે બેઠો હતો એટલે સિંહે વાંદરાના પડછાયા ઉપર તરાપ મારી. ત્યારે ડાળી ઉપર ઊંચે બેઠેલો વાંદરો કહે છે કે અરે વનના રાજા! હું તો અહીં ડાળી ઉપર બેઠો છું. એ પડછાયામાં કાંઈ હું નથી; પડછાયાથી તારું પેટ નહીં ભરાય; માટે નકામી મહેનત ન કર! પડછાયા ઉપર તું ગમે તેટલા વલખાં માર... તારા હાથમાં કાંઈ આવવાનું નથી. છતાં મૂરખ સિંહ તો પડછાયા ઉપર પંજા મારી મારીને વલખાં મારતો રહ્યો. –ને અંતે હેરાન થઈને થાકયો ! તેના હાથમાં કાંઈ આવ્યું નહીં. તેમ જગતનો રાજા, એવો આ ચૈતન્યસિંહ આત્મા, તેને સુખની ભૂખ લાગી છે. તે છાયા Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86