________________
જંગમ કલ્પવૃક્ષ સમાન, પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમંત્રાદિગર્ભિત તેમ જ યમકશ્લેષાદ્યયંત નાની મોટી ૬૪ કૃતિઓને સમાવેશ કરવામાં આવેલ છે. તે કૃતિઓની રચના કરનાર મહાપુરુષો વગેરેની એતિહાસિક ચર્ચા સંપાદકે પ્રસ્તાવનામાં કરેલી હોવાથી તે તરફ વાચકેનું ખાસ ધ્યાન ખેંચવાની રજા લઉં છું.
આટલા સૂચન બાદ આ પુસ્તકપ્રકાશનને અંગે જેમને હું ઋણી છું તેમનું ઋણ જાહેર કરીને પણ અદા કરવાની શિષ્ટ પુરુષની પ્રથાનું હું અનુકરણ કરૂં તે સ્થાને જ ગણાશે. પાટણ બિરાજતા પૂજ્ય પ્રવર્તક શ્રીકાંતિવિજયજી તથા તેઓશ્રીના પ્રશિષ્ય વિઠઠર્ય મુનિમહારાજ શ્રીપુણ્યવિજયજીનો અને દક્ષિણવિહારી શ્રીઅમરવિજયજી તથા પ્રસ્તુત ગ્રંથના સંપાદક અને સંશોધક પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજીને અત્યંત આભારી છું.
આ ગ્રંથમાં છાપવામાં આવેલી કૃતિઓ પૈકી “શ્રીઉવસગ્ગહરસ્તોત્ર'ની પાર્ષદેવગણિકૃત ટીકા પ્રથમ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્વારા ફંડ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલી તે છાપવા પરવાનગી આપવા માટે શ્રીયુત છવણચંદ સાકરચંદ ઝવેરીને તથા શ્રી જેનાનંદ પુસ્તકાલય, સુરત અને શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિર વડોદરાના વહીવટક્તઓને પણ હસ્તલિખિત પ્રત આપવા માટે આ તકે આભાર માનું છું. આ પુસ્તકના અગાઉથી ગ્રાહક થઈને જે જે પૂજ્ય મુનિ. મહારાજાઓએ તથા ભાઈઓએ મહને ઉત્તેજિત કર્યો છે તેઓને પણ આભાર માનું છું. ઈચ્છું છું કે–મહારાં ભવિષ્યનાં પ્રકાશમાં પણ હારી સાથે ઉભા રહીને આ બધાજ હારી ભાવનાને સફલ બનાવશે.
આ ગ્રન્થમાં છાપવામાં આવેલા યંત્રના પ્રકાશનના છાપવા છપાવવાના સર્વહક્ક પ્રકાશકને જ સ્વાધીન હોવાથી પ્રકાશકની મંજુરી વિના કોઈપણ સંસ્થા અગર ગૃહસ્થને નહિ છપાવવા આગ્રહભરી વિનંતિ છે. વળી આ અતિ દુર્લભ યંત્ર પૂજનીય તથા વંદનીય છે તેમજ