________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૨૭૫
રાજાઓએ પણ વંદના ચાલુ કરી. પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા. તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે ‘શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાંને બતાવી આપું કે થાક્યા વગર હું વંદના કરી શકું છું.' એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી. વંદના કરીને શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.'
નેમિનાથ ભગવાને કહ્યું, ‘હે વાસુદેવ ! તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.' એ વખતે શ્રીકૃષ્ણે પૂછ્યું કે ‘મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કર્યાં છે તો એને પણ એટલું ફળ મળશે ?’
શ્રી નેમિનાથ ભગવાને કહ્યું, ‘હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાંને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યાં છે. એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકષ્ટરૂપ માત્ર દ્રવ્ય નમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.'
‘નમો’ પદ નમસ્કાર, પ્રણિપાત, વંદનાનું સૂચક છે. જ્યાં પંચ પરમેષ્ઠિને નમસ્કા૨નો ભાવ જન્મે છે ત્યાં ધર્મનું બીજ વવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ ‘લલિત વિસ્તરા'માં કહ્યું છેઃ ધર્મ પ્રતિ મૂલમૂતા વંવના। ધર્મ પ્રત્યે જીવને ગતિ કરાવનાર મૂળભૂત જો કંઈ હોય તો તે વંદના છે, નમસ્કાર છે, ‘નમો' છે.
‘નમો અરિહંતાણં’ માં આમ એક અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ જોતાં ‘નમો’ પદનું મહત્ત્વ છે. પરંતુ ‘અરિહંત’ પદ ગૌણ છે એમ સમજવાનું નથી. જ્યાં સુધી નમવાનો ભાવ હ્રદયમાં પ્રગટ ન થયો હોય ત્યાં સુધી ‘અરિહંત’ પદનું રટણ લાભકારક થતું નથી. બીજી બાજુ ‘નમો’ પદનું માત્ર શબ્દોચ્ચારણ થતું હોય, અરે, કાયા પણ નમવાની ક્રિયા કરતી હોય પણ અંદર અરિહંતને નમવાનો ભાવ ન હોય તો તેથી પણ લાભ થતો નથી.
નમો અરિહંતાણં માં મહત્ત્વનું પદ કયું ? નમો કે અરિહંતાણં ? જુદી જુદી અપેક્ષાથી એનો ઉત્તર અપાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org