________________ હo૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ શુભાશુભ લેગ્યાનાં સ્થાન જાણવાં. મતલબ કે સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે શુભ અને અશુભ લેશ્યા હોય છે. કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પધ અને શુકલ એ છએ વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જેમ કે કૃષ્ણ લેશ્યાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી. તે જ પ્રમાણે શુકલ લેગ્યાની સ્થિતિ છે. નીલ, કાપોત, તેજો અને પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી છે. તિર્યંચ ગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર ત્રણ, ચાર કે છ લેશ્યા હોય છે. જેમકે કેટલાક એકેન્દ્રિય જીવોમાં કૃષ્ણ, નીલ, કાપોત એમ ત્રણ વેશ્યાઓ હોય છે, અને કેટલાક જીવોમાં તેજોલેશ્યા સહિત એમ ચાર લેશ્યાઓ હોય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં ત્રણ વેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાકમાં ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે અને કેટલાકમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. મનુષ્ય ગતિના જીવોમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ એમ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યગતિના જીવો ચૌદમે ગુણસ્થાનકે અલેશી હોય છે. અકર્મભૂમિના મનુષ્યોમાં ચાર વેશ્યા હોય છે અને સંમુર્છાિમ મનુષ્ય જીવોમાં ત્રણ વેશ્યા હોય છે. જીવ આત્મિક વિકાસ કરતો કરતો ઉપર ચડે છે. જૈન દર્શનમાં આત્મિક વિકાસનાં આવાં ચૌદ પગથિયા-ચૌદ ગુણસ્થાન બતાવવામાં આવ્યાં છે. નીચેથી ઉપરના ગુણસ્થાને આરોહણ કરતા જીવોમાં કયે કયે ગુણસ્થાને કઈ કઈ વેશ્યાઓ હોય છે તે ભગવતીસૂત્રમાં બતાવ્યું છે. આમાં પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવમાં છએ વેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ અને શુકલ એ છ વેશ્યાઓ હોય છે. સાતમે ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યાઓ-પીત, પદ્ધ અને શુકલ એ વેશ્યાઓ હોય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધી જીવને એક માત્ર શુકલ લેશ્યા હોય છે. તેરમે ગુણસ્થાને જીવને પરમ શુકલ લેગ્યા હોય છે. આમ પહેલાથી તેરમાં ગુણસ્થાન સુધી શુકલલેશ્યા અવશ્ય હોય છે. ચૌદમે ગુણસ્થાને જીવ અલેશી એટલે કે લેસ્થારહિત હોય છે. નારકીના જીવોમાં વેશ્યા નીચે પ્રમાણે હોય છે ? Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org