________________ 312 જૈન ધર્મના પુષ્પગુચ્છ તેજલેશ્વાનો એક બીજો પ્રકાર પણ છે. છ લશ્યામાની તેજલેશ્યા કરતાં એ જુદો છે. ભગવાન મહાવીર અને ગોશાલકના સંબંધમાં બનેલી તેજલેશ્યાની ઘટના સુપ્રસિદ્ધ છે. છ પ્રકારની લેગ્યામાં આવતી તેજોવેશ્યા કરતાં આ તેજોલેશ્યા ભિન્ન પ્રકારની છે. આ તેજોવેશ્યા તપોલબ્ધિથી પ્રાપ્ત થાય છે અને તે પોલિક પ્રકારની છે. ઠાણાંગસૂત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે ત્રણ રીતે આ પૌદ્ગલિક તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. तिहिं ठाणेहिं सम्मणे निग्गंथे संखितविउलतेउलेस्से भवइ, तं जहा-आयावणयाए, खंतिखमाए, अपाणगेणं तवो कम्मेणं / [ત્રણ સ્થાનથી (પ્રકારથી, રીતથી) શ્રમણ નિર્ચન્થને સંક્ષિપ્ત-વિપુલ એવી તેજલેશ્યાની પ્રાપ્તિ થાય છે જેમ કે (1) આતાપનથી (ઠંડી-ગરમી સહન કરવાથી), (2) શાંતિક્ષમાથી (ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવી સતત ક્ષમાભાવ ધારણ કરવાથી) અને (3) અપાનકેન નામની તપશ્ચર્યા (છઠ્ઠને પારણે છઠ્ઠ) કરવાથી.] વિશિષ્ટ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તેજોવેશ્યા પ્રાપ્ત થઈ શકે છે. ઉષ્ણ તેજલેશ્યાની પ્રાપ્તિના ઉપાય તરીકે કેવી તપશ્ચર્યા કરવી પડે તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છેઃ જે વ્યક્તિ છ મહિના સુધી છઠ્ઠ (સળંગ બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ કરે એટલે કે છઠ્ઠ પૂરો થતાં એના પારણામાં માત્ર એક મૂઠી બાફેલા અડદ ખાવામાં આવે અને એક ચોગલું (નાનો પ્યાલો) ઉષ્ણ પાણી પીવામાં આવે અને ફરી છઠ્ઠ કરવામાં આવે અને આ રીતે સળંગ છ મહિના તપશ્ચર્યા કરવામાં આવે અને તેટલો કાળ રોજ અમુક સમય સુધી સૂર્યની સામે જોઈ એની ઉષ્ણતા-આતાપના લેવામાં આવે તો એ તપસ્વીને ઉષ્ણ તેજલેશ્યા પ્રાપ્ત થાય છે. આવી તે જલેશ્યા ધરાવનાર વ્યક્તિ તે તેજોલેશ્યા ફેંકીને બીજાને બાળીને ભસ્મીભૂત કરી શકે છે અથવા અમુક નગરોને પણ બાળી નાખી શકે છે. તપલબ્ધિથી મેળવેલી તેજોવેશ્યા કેટલી બધી બળવાન હોઇ શકે છે એ અંગે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી પર ફેંકેલી તેજલેશ્યાનું ઉદાહરણ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org