________________ પુલ-પરાવર્ત 329 કરવી. આમ, 1 થી 100 સુધીની બધી સોગઠી બહાર નીકળશે ત્યારે ચારે રંગના કાગળ પર ચોકડીઓ પૂરી થશે. આ બધી ચોકડી ક્રમથી નહિ પણ અક્રમથી કે વ્યક્રમથી થઈ. આ અક્રમ પરાવર્તન એક સાથે ચાર રંગનું થયું. એ ચાર રંગ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એ ચારનાં છે. એટલે એક સાથે ચાર અક્રમ અથવા પૂલ પરાવર્તન થયાં. રમત નં. 4 આગળ પ્રમાણે ચાર રંગના કાગળ અને ચાર રંગવાળી સોગઠી રાખવાની. પણ હવે દરેક રંગના કાગળમાં આંકડાઓ ઉપર 1 થી 100 સુધી અનુક્રમે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડા નીકળે તે છોડી દેવાના. એટલે આગળ પ્રમાણે ચાર પરાવર્તન અનુક્રમે જ થશે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પ્રત્યેકનું અનુક્રમે પરાવર્તન થયું કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. અહીં તો સમજવા માટે રમતમાં આપણે 1 થી 100 સુધીના આંકડા ઉદાહરણ સ્વરૂપે રાખ્યા. જો કે આ રમતો સંપૂર્ણ નથી, પણ બાળજીવોને સમજવા માટે છે. પણ એ આંકડા 1 થી લાખ, કરોડ કે અબજ સુધીના નહિ, પણ અસંખ્યાતા કે અનંતા હોય તો આ રમત રમતાં કેટલો બધો સમય લાગે ? આપણી કલ્પનામાં પણ ન આવે એટલો સમય લાગે. અલબત્ત, આ યુગલ પરાવર્તનમાં એક સેકન્ડનો, એક “સમય' માત્રનો બગાડ થતો નથી. રમત સતત ચાલુ જ રહે છે–એક ભવથી બીજા ભવ સુધી અને ભવોભવ સુધી એ પ્રમાણે ચાલ્યા જ કરે છે. વળી આવી રીતે એક પરાવર્તન થયું એટલે રમત પૂરી થઈ ગઈ એવું નથી. એક પ્રકારના પરાવર્તન પછી તરત જ-તણ તે પ્રકારનું બીજું પરાવર્તન ચાલુ થઈ જાય છે. એમ અનંત પરાવર્તનો કરતો જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે પ્રકારના પુગલ પરાવર્તન વિશે વિગતે જોઇએ. સ્થૂલ અને સૂથમ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવ' નામની કૃતિમાં કહ્યું છેઃ औदारिकवैक्रिय तेजसभाषाप्राणचित्त कर्मतया / सर्वाणुपरिणतेर्भे स्थूलोऽभूत्पुद्गलावर्तः // Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org