________________ લેથા 305 (તપશ્ચર્યા) કરવાવાળો હોય, અલ્પભાષી, ઉપશાન્ત, જિતેન્દ્રિય હોય-આ બધાંથી જે યુક્ત હોય તેનામાં પબલેશ્યા પરિણત થયેલી હોય છે.] શુકલતેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે: अट्टरुद्दाणि वज्जित्ता धम्मसुक्काणि साहए / पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिसु // सरागो वीयरागो वा उवसंते जिइंदिए / एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे / / [જે મનુષ્ય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરે છે, પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરવાવાળો છે, સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત છે, ઉપશાન્ત અને જિતેન્દ્રિય છે, સરાગ (અલ્પરાગી) કે વીતરાગ હોય છે તે શુકલ લેસ્થામાં પરિણત હોય છે.] દ્રવ્યલેશ્યા પુગલ પરમાણુઓની હોય છે અને પુદ્ગલ પરમાણમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે. એટલે એ દ્રવ્ય લશ્યાનાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ કેવા પ્રકારના હોય છે એ ભગવાને ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયન, પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં કહ્યાં છે. લેશ્યાઓના વર્ણ, રસ વગેરે કેટલા હોય છે તે વિશે ભગવાને ભગવતીસૂત્રમાં કહ્યું છે: गोयमा ! दव्वलेसं पडुच्च-पंचवण्णा, पंचरसा, दु गंधा, अट्ठ फासा पण्णत्ता। . મવિલેણે પડું–અવા, અરજી, માંધા, માસ પછી ! હિ ગૌતમ ! દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ એમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ કહ્યા છે. ભાવલેશ્યાની અપેક્ષાએ તે વર્ણરહિત, રસરહિત, ગંધરહિત અને સ્પર્શરહિત છે.] દ્રવ્યલેશ્યાઓ છ છે, પરંતુ એના વર્ણ (રંગ) પાંચ બતાવવામાં આવ્યા છે, કારણકે કાપોત (કબૂતરના રંગ જેવી) લેગ્યાનો જુદો વર્ણ નથી, પણ તે કાળો અને લાલ એ બે વર્ષના મિશ્રણવાળો વર્ણ છે. આ છ દ્રવ્યલેશ્યાના વર્ણ (રંગ) સમજાવવા માટે નીચે પ્રમાણે ઉદાહરણ આપ્યાં છે: કૃષ્ણ લેશ્યા કાળાં વાદળ, અંજન, પાડાના શિંગડાં, અરીઠાં, ગાડાની મળી, આંખની કીકી, ભમરો, કાળી કેસર, કોયલ, કાળી કનેર વગેરેના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org