________________
માર્ગાનુસારી ૩૫ બોલ (ગુણ)
(૧) ન્યાય સંપન્ન વિભવ : ન્યાયથી ધન મેળવવું. સ્વામિદ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસીને ઠગીને, ચોરી કરીને, થાપણ ઓળવીને વગેરે નિંદવા યોગ્ય કામ કરીને ધન મેળવવું નહિ.
(૨) શિષ્ટાચાર પ્રશંસા-ઉત્તમ પુરૂષોના આચરણને વખાણવા. (૩) સરખા કુળાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. (૪) પાપના કામથી ડરવું. (૫) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૬) કોઈનો અવર્ણવાદ બોલવો નહિ – કોઈની નિંદા કરવી નહિ.
(૭) જે ઘરમાં પેસવા-નીકળવાના અનેક રસ્તા ન હોય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પડોશી સારા હોય તેવા સારા ઘરમાં રહેવું.
(૮) સાચા આચારવાળા પુરૂષોની સોબત કરવી.
(૯) માતા તથા પિતાની સેવા કરવી – તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવા.
(૧૦) ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો-લડાઈ, દુષ્કાળ અને અડચણવાળાં ઠેકાણાં છોડવાં.
(૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું – નિંદવા યોગ્ય કાર્યો છોડવાં. (૧૨) આવક પ્રમાણે ખર્ચ કરવું - કમાણી પ્રમાણે ખર્ચ કરવું. (૧૩) દેશને અનુસરતો વેષ રાખવો – પેદાશ પ્રમાણે પોશાક
રાખવો.
(૧૪) આઠ પ્રકારની બુદ્ધિના ગુણને સેવવા તે આઠ ગુણોનાં નામ -
૨૨૬
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org