Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 288
________________ સીમંધર સ્વામી અને ઋષભદેવના સ્તવનમાં વિનંતીનો સંદર્ભ થાય છે તેમાં સારરૂપ વિચારો જોઈએ તો ભગવાનના ગુણોની માહિતી અને ભક્તને ભવોદધિથી પાર ઉતારવાનો અને મહાવિદેહમાં બિરાજમાન સીમંધર સ્વામીનાં કોઈ દૈવી શક્તિથી દર્શન થાય ત્યાં જન્મ મળે અને ભવોભવ પ્રભુની સેવા કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય એવા વિચારો સ્થાન ધરાવે છે. વિજ્ઞપ્તિપત્ર (સંક્ષિપ્ત પરિચય) મધ્યકાલીન સમયમાં પત્ર (કાગળ)ને સ્થાને લેખ શબ્દ પ્રયોગ પણ થયો છે. આ વિષયનો વધુ અભ્યાસ કરવા માટે (માહિતી) “વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ” પુસ્તક પ્રગટ થયું છે તેની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે. આ પુસ્તક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી પ્રગટ થયું છે. જૈન સાહિત્યના મહાકૃતોપાસક વિદ્વાન અને સંશોધક મુનિ જિનવિજયજીએ તેનું સંપાદન કર્યું છે. પ્રથમ ભાગમાં વિજ્ઞપ્તિ મહાલેખ સંસ્કૃત ભાષામાં લખાયો છે. શ્રી જિનોદયસૂરિએ ખરતરગચ્છના પૂ.લોકટિલાચાર્યને આ લેખ લખ્યો છે. તેમાં શત્રુંજય તીર્થની સ્તુતિ કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાનો આ લેખ ગદ્ય-પદ્યના મિશ્રણવાળો છે. બીજો લેખ મહામહોપાધ્યાય પૂ. જયસાગરજીએ ખરતરગચ્છના પૂ. જિનભદ્રસૂરિને લખ્યો છે તેનો વિષય નાગોર તીર્થ ચૈત્યપરિપાટીનો છે. બીજા વિભાગમાં ૨૫ લેખોનો સંચય થયો છે. આ વિભાગનું નામ વિજ્ઞપ્તિ ત્રિવેણિ છે. સંસ્કૃત ભાષામાં ગદ્ય-પદ્યના મિશ્રણવાળા વિજ્ઞપ્તિ પત્ર ૨૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324