Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 297
________________ મળે છે. આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે તે ન્યાયે પુણ્ય પાપ ભોગવવા માટે જન્મ-જરા અને મરણના ત્રિવિધ તાપથી ત્રસ્ત થવું પડે છે. ભૌતિક સુખ નાશવંત છે. સુખની સામગ્રી પૌદગલિક હોઈ ક્ષણિક તરંગ બુદ્ગદ્ સમાન આભાસી સુખ આપીને નષ્ટ થાય છે. પત્ની, પુત્ર, સંપત્તિ, સત્તા, ઉચ્ચપદવી, સન્માન આદિ પણ પાપનાં બંધરૂપ હોઈ તેમાં આસક્તિ રાખવા જેવી નથી. એક માત્ર આભાસી-નાશવંત સુખને બદલે શાશ્વત સુખનો પુરૂષાર્થ એજ માનવ જન્મની સાર્થકતા છે. જ્ઞાની પુરૂષો, સંતો, મહાત્માઓ, ગણધરો, તીર્થકરો અને યોગીઓ બધાએ જીવનમાં જે કોઈ પુરૂષાર્થ કર્યો હતો તે માત્ર શાશ્વત સુખ મેળવવા માટે જ ભૌતિક સુખનો એમના ચરણોમાં આળોટવા તૈયાર હતું. તીર્થકર ભગવંતની સમૃદ્ધિ સંપત્તિ અને સુખ સામગ્રીનો વિચાર કરીએ તો માનવ પાસે આ સામગ્રીતૃણવત્ છે. પૂર્વ જન્મના શુભાશુભ કર્મના ઉદયથી જીવાત્મા કહેવાના પૌદ્ગલિક સુખને મેળવે છે. પણ આ સુખ માટે પુરૂષાર્થ તો કરવો જ પડે છે. આ પુરૂષાર્થમાં વર્ષો વીતી જાય છે અને જીવન પુર્ણ થાય છે. જો આવી જ સ્થિતિ હોય તો પુરૂષાર્થથી શું પ્રાપ્ત થયું. જીવોની ઘોર અજ્ઞાનતાને કારણે સુખની લાલચ પાછળ દુર્લભ મનુષ્ય જન્મ વેડફી નાંખે છે. પરિણામે પુનઃ મનુષ્ય જન્મ મળશે કે કેમ તેનો કોઈ નિશ્ચય થતો નથી. માટે કર્મજન્ય સુખ મળે તો તેમાં આસક્તિ રાખ્યા વગર માત્ર શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરવો જોઈએ. નિકાચિતકર્મ તો ભોગવવું જ પડે છે. તે સિવાયનાં કર્મોની નિર્જરી થવાથી ક્રમશઃ આત્મા શાશ્વત સુખના રાજમાર્ગમાં પ્રગતિ કરી શકે છે. પૌદ્ગલિક સુખથી આસક્તિ વધે છે અને તેનાથી રાગ-દ્વેષના ૨૫૬ શાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324