Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 314
________________ દીપવિજય કવિરાજ ચરણ શિરનામી મેં બીજો વધાવો ગાતાં નવ નિધિ પામી રે સંયમ અવસર આવ્યો છે એમ જાણીને લોકાંતિક દેવો પ્રભુને સંયમ સ્વીકારવા વિનંતી કરે છે. એટલે દીક્ષા કલ્યાણકની માહિતી ત્રીજા વધાવામાં છે. ભોગ કરમ ક્ષીણ જાણી ત્રિભુવન નાથજી, જગહિત જાણી કંબલ દાન દીય શુભ મારગ રે લો.” દીક્ષા મહોત્સવ પરમ પ્રમોદ આરંભીયો રે' સુરપતિ ને સુરગણ કનકના કળશથી પ્રભુને અભિષેક કરે છે. અંગો પ્રભુનાં ચંદન કેસરથી સુવાસિત કરીને સાધુ વેશ આપે છે અને પ્રભુ અણગાર બને છે. પ્રભુએ દીક્ષા સ્વીકારીને ચાર ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ચિંહુ ગતિ ફેરા ફરી, પ્રભુ વરીયા કેવલ કમલા. કેવલજ્ઞાનથી પ્રભુ જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન ધરાવે છે - એમ જણાવ્યું છે. પાંચમાં વધારામાં ભગવાનની દેશના, પરિવારની માહિતી, ભગવાનની વાણીના ગુણ, અતિશય વગેરેની માહિતી છે. સુદ પાંચમ શ્રાવણ માસની રે, શિવપુર વસીયા' આ પંક્તિ દ્વારા ભગવાનના નિર્વાણ કલ્યાણકનો ઉલ્લેખ થયો છે. દેશી બદ્ધ ગેય ઢાળ યુક્ત આ રચના પાર્શ્વનાથ ભગવાનની ચરિત્રાત્મક માહિતી આપે છે. ઉપમાઓ અને વર્ણનમાં કોઈ નવીનતા નથી. વધાવા ૨૭૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324