Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬] ને “જડ-ચૈતન્ય જુદાં છે” તેવો ભાસ થઈ જાય-એવી વાણી હતી. “અરે જીવો! તમે દેહમાં બિરાજમાન ભગવાન આત્મા છો કે જે અનંત ગુણોનો મહાસાગર છે. તે પ્રત્યક્ષ અનુભવગોચર ભગવાનને તમે અનુભવો; તમને પરમાનંદ થશે.” આવી ગુરુદેવની અનુભવયુક્ત જોરદાર વાણી શ્રોતાઓને આશ્ચર્યચકિત કરતી. ઘણી પ્રબળ વાણી! શુદ્ધ પરિણતિની ને શુદ્ધ જ્ઞાયક આત્માની લગની લગાડે-એવી મંગળમય વાણી ગુરુદેવની હતી. અહો ! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે. પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય ! પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો.” પૂજ્ય ગુરુદેવશ્રીના તે વિશાળ પ્રવચનસાહિત્યમાંથી ચૂંટીને આ ગુરુદેવશ્રીનાં વચનામૃત” પુસ્તકનો ઉદ્દભવ કઈ રીતે થયો તે આપણે જોઈએ: પૂજ્ય ગુરુદેવની સાધનાભૂમિમાં સુવર્ણપુરીમાં-પ્રશમમૂર્તિ ધન્યાવતાર પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની-રાત્રે મહિલાશાસ્ત્રસભામાં ઉચ્ચારેલી-સ્વાનુભવરસઝરતી ને દેવગુરુભક્તિભીની અધ્યાત્મવાણી પૂજ્ય ગુરુદેવશ્રીની મંગલ ઉપસ્થિતિમાં “ બહેનશ્રીનાં વચનામૃત'-રૂપે વિ. સં. ૨૦૩૩ માં પ્રકાશિત થઈ. તેમાં સમાયેલ અધ્યાત્મનાં તલસ્પર્શી ઊંડાં રહસ્યોથી પૂજ્ય ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન તેમ જ પ્રભાવિત થયા. તેમણે પોતાની પ્રસન્ન ભાવના વ્યક્ત કરતાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ દોશીને કહ્યું: “ભાઈ ! આ “વચનામૃત” Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 205