Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01 Author(s): Girjashankar Vallabhji Acharya Publisher: Farbas Gujarati Sabha View full book textPage 8
________________ (૨) પૂરી પાડી તેવી આમાં દાખલ કરેલ છે. તે બધા વિગતવાર પ્રસિદ્ધ થાય ત્યારે તે ટુકી નોંધા કાઢી તે જ નખરમાં વિસ્તૃત હકીકત દાખલ થઈ શકશે. અમુક લેખા તેમ જ તામ્રપત્રા બનાવટી મનાય છે તેવા પણ આ સંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે; કારણુ તેમાંયે અમુક ઐતિહાસિક તત્ત્વા એછાવત્તા પ્રમાણમાં મળી આવવા સંભવ રહે છે. બધા લેખો ભિન્ન ભિન્ન વ્યક્તિ દ્વારા પ્રકટ થયેલા છે, તેથી સ્વાભાવિક રીતે અમુક કિલ શબ્દો તેમ જ વાકયેના અર્થ ભિન્નભિન્ન તેમ જ યથામતિ કરવામાં આવેલ છે. તે ખષાનું દેહન કરી, બહુમતિવાળા પક્ષનેા અર્થ માન્ય કરવાનું કામ ખહુ મુશ્કેલીવાળું હાવા ઉપરાંત તેમ કર વામાં ખીજા એ દાષા હૈારી લેવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એક તે બધાના ભિન્ન ભિન્ન મતના સંપૂર્ણ સંગ્રહ થઇ શકતા નથી ( જે મારૂં આ કાર્યપરત્વે મુખ્ય કર્તવ્ય છે), અને બીજું તેમ કરવાથી હું મારી પ્રવૃત્તિમાંથી ચુત થતા હાઉં, એમ પણ લાગવા માંડ્યું. ઐતિહુાસિક સાધનાના સંગ્રહ કરવા તે એક પ્રવૃત્તિ અને તે બધાં સાધનાનું દહન કરી, તેમાંથી ઐતિહાસિક તવા તારવી, તેની સંકલના કરવી તે તદ્ન નિરાળી જ પ્રવૃત્તિ ગણી શકાય. ઉપરાંત આ સંગ્રહ સદાકાળ અપૂર્ણ દશામાં જ રહેવાના, તેથી જે પક્ષ અત્યારે માન્ય ગણાય તે હવે પછીનાં નવાં સાધનાની પ્રાપ્તિને અંગે કદાચ ત્યાજ્ય ગણાય, એવા પણ સંભવ છે. તેથી આ બધાં કારણેાને અંગે જેના તેના અભિપ્રાય તેની તે જ સ્થિતિમાં આમાં સંગ્રહ કરવાના નિશ્ચય સ્વીકારેલે છે, એક જ વંશના ઉત્તરાત્તર જૂદા જૂદા લેખમાં કેટલાક વંશવર્ણનવિભાગ સામાન્ય મળી આવે છે તે ફરી ફરી આખા છાપવાને બદલે માત્ર એક વાર છાપી ખીજામાં પદ્મફેર બતાવવા એમ ધારણા હતી, પણ તેમ કરવામાં અક્ષરાન્તરવિભાગ ઘણા કિલષ્ટ, નેટાથી ભરપૂર અને ત્રુટક થઈ જાય છે. તેથી મળી શકયા મુજબ અક્ષરાન્તરવિભાગ બધી જગ્યાએ સંપૂર્ણ જ મૂક વામાં આવેલ છે. પારિભાષિક શબ્દો લેખકે એ આપેલા અર્થ સહિત તેમ જ સ્થળ અને દેશનિર્દેશ કરનારાં નામેા પણ લેખકેાની ટીપ સહિત આપેલાં છે. આવા શબ્દોના અર્થ શૈષવાના તેમ જ સ્થળ વિગેરેના નિર્ણય કરવાના જૂદા જૂદા પ્રયાસ થએલા છે. પણ હવે આખા એકંદર આ સંગ્રહ છપાયા બાદ બધા શબ્દો તેમ જ સ્થળેા માટે એકહથ્થુ પ્રયાસ કરી, એક ગ્રંથના રૂપમાં પ્રસિદ્ધ કરવાની જરૂર હરકેાઇને જણાશે. કાઈ સાક્ષર તે કામ ઉપાડી લે તેા તે સર્વથા ઈટ છે. તેમ નહીં થાય તે નિવૃત્ત થયા ખાદ હાથ ધરવાનાં કાર્યાની ટીપમાં મેં તે ઉમેરી રાખેલ છે, પણ તે અભિલાષા પાર પાડવી તે પ્રભુના હાથમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ. મિ. ૧. www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 394