Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 63
________________ તત્ત્વજ્ઞાન જુદા પ્રકારને જાણવા મથે છે અને એનું સંકલન કરવા મથે છે, એની પાછળનો એકતાનો સ્રોત શોધવા મથે છે. ધર્મ સાધનામાં ભાવ મુખ્ય છે. કારણ સર્જન ભાવમાંથી થાય છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં અધ્યવસાય કહે છે. અધ્યવસાય એટલે ચેતનમાં ઊઠતા કંપનો, એ કંપનો અંદર ઊઠે છે એનું કારણ છે પૂર્વ કર્મના અનુભવમાંથી પસાર થતી વખતે ચેતનમાં જે ઊઠતી લાગણીઓ તે છે. અધ્યવસાય એ જ મુખ્ય બળ છે. અને કામ જે કરવાનું છે તે અધ્યવસાય ઉપર કરવાનું છે. અધ્યવસાય નિમિત્ત છે. પરમાણુઓની જે રચના થાય છે, એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જે બદલાય છે, તથા એની ફળપ્રદાન શકિત જે વધે છે એ મૂળ આવે છે પરમાણુઓમાંથી. ૫૨માણુ પોતે જ શકિતનો ભંડાર છે. એ ક્રમે ક્રમે બહાર આવે છે, એ આવે છે તો પોતાનામાંથી જ પણ એમાં જે પ્રગટ થાય છે એમાં નિમિત્ત તમારો અધ્યવસાય. એમાં જે શક્તિ છે તે તમારી છે. એટલે તમારી આજુબાજુમાં જે કાંઈ રચના થાય છે, એ કરે છે પરમાણુઓ, શકિતનો ભંડાર એનો પોતાનો, પણ તમારા માટે જે રચના થાય છે એમાં નિમિત્ત તમારા અધ્યવસાય. માટે જ ભિન્ન ભિન્ન રચના છે, અનંત પ્રકારની વિવિધતા છે, આ વૈવિધ્ય છે ૫૨માણુઓનુ પોતાનું, પણ એ પ્રગટે એમાં નિમિત્ત તમારો અધ્યવસાય, અને જો અધ્યવસાય નિમિત્ત હોય તો તો ૫૨માણુઓ અર્થાત પુદ્ગલ દ્રવ્ય તદ્ન તટસ્થ થઈ ગયું, એ કશામાં જવાબદાર નથી. અને એ રચના થાય છે, પણ એમાં એ જવાબદાર નથી. કારણ એ જડ છે. પણ એની કિત છે. એનામાં શકિત છે. એ બહાર આવે છે. એમાં નિમિત્ત અધ્યવસાય, તો પુદ્ગલ દ્રવ્યના પક્ષે કંઈપણ વિચાર કરવા જેવો રહેતો નથી. જયારે આપણા સમગ્ર વિચારનું કેન્દ્ર પુદ્ગલ દ્રવ્ય છે. ચેતના એટલા માટે બહાર છે. એનું કેન્દ્ર પુદ્ગલ બન્યું છે. માટે એની રચના સારી, ખોટી, પસંદ, નાપસંદ, પ્રિય, અપ્રિય, સુખકર, દુઃખકર એ જ વિચાર છે. એને બદલવાની, અનુકૂળ કરવાની યોજના ઘડીએ છીએ પણ એ શકય નથી, કારણ એ રચના પહેલાનો અધ્યવસાય તમારો, એ જ નિર્ણયાત્મક છે. માટે પહેલું કામ એ કરવું પડે કે તમારી આજુબાજુમાં જે રચના છે, એ માટે આજે તમારો ગમે તે અભિપ્રાય હોય, ગમે તેવો સ્વીકાર, અસ્વીકાર હોય પણ તમારા અધ્યવસાયે જ એ રચનામાં ફાળો આપ્યો છે. અને એ રચના એમ જ થાય તો, આજે શું થાય ? માત્ર સ્વીકાર, પૂરેપૂરો સ્વીકાર, આઘાત, પ્રત્યાઘાત, પ્રતિક્રિયા વગરનો સ્વીકાર, એ જ ઉપાય અને આવો સ્વીકાર એનું નામ શાંતિ. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178