Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 127
________________ સાધકનું સમાધાન પરાકાષ્ઠા છે, જ્યાં આપણા અસ્તિત્વનો માત્ર અણસાર જ મળે, માત્ર સૂચન જ થાય એ સિવાય ચારે તરફથી કચડેલા ને કારમી જેલ અવ્યવહારરાશી નિગોદમાં સબડતા મૂકી દીધેલા, સૃષ્ટિના વિરાટ વિસ્તારમાં આપણા માટે કોઈ લાગણીનો સૂર આપનારું ન હતું, એ એકલવાયી પામર દશામાં આપણને એ વિશ્વ વાત્સલ્ય, કરુણામૂર્તિએ નિષ્કારણ પ્રેમથી હવરાવેલા, આપણી અસહ્ય વેદનાથી એ સમસમી ઊઠેલા ને આપણા પર બલાત્કાર કરતા સમગ્ર પ્રકૃતિ તંત્ર પ્રત્યે એણે કરડી નજર કરેલી ને આપણને મુક્તિનો કોલ આપી, સિધ્ધાલયમાં લઈ જવાની બદલાની આશા વગર જવાબદારી લીધેલી, આપણા સમગ્ર પ્રેમનો સાચો અધિકારી તો એ જ છે ને! આપણી સમગ્ર શક્તિઓનો સ્વામી તો એ છે, કારણ એની જ દિવ્ય કૃપાથી આપણને આ મળ્યું છે. આ સમજણ નથી આવી. માટે તો આ સંઘર્ષ જામ્યો છે. ક્ષણજીવીઓ અશાશ્વતનું ભેટણું ધરી શાશ્વતને ખરીદી લે છે ને રખડતો કરી મૂકે છે, જ્યારે આ અવિનાશી વિનાશીની જાળમાંથી મુક્ત બનાવી અચલાયતન, સિધ્ધાલય, શાશ્વત આનંદની મોજ માણવા સદાકાળ સાદિ અનંતની શરતે દોરી જાય છે. આ પરમ સત્ય સમજાય તો જ અરિહંત તરફ પ્રેમનો પ્રવાહ વહેતો થાય ને? આ સમજ વેદનાનો પરિતાપ જન્માવશે. એમાંથી જ વિરહનો દાવાનળ પ્રગટશે ને એ જ આગથી સ્મરણ, સહજ સ્મરણ “અજપા જપ” ચાલુ થશે. સ્મરણની ધારા અહંકારની તોતિંગ દીવાલોને હલાવી જમીનદોસ્ત કરશે, ત્યારે જ સર્વાંગીણ સમર્પણ થશે અને એ જ પળે “સાચા અર્થમાં આજ્ઞાપાલન” થશે. તમામ પ્રશ્નોનો ઉકેલ આમાં છે. સર્વ સમસ્યાઓને ઉકેલવાની રહસ્યભૂત ચાવી આમાં છે ને સાધકના કર્તવ્યનું સ્પષ્ટીકરણ પણ આમાં જ છે. જો અંદર તલસાટ જાગ્યો જ હશે, પરમ પ્રભુના વિયોગની જ્વાળા અંદર સળગી જ હશે ને આત્માનો પ્રત્યેક પ્રદેશ એની જ પુકાર કરતો હશે તો સાધકને આ પ્રક્રિયાનો જ સ્વીકાર કરવો પડશે. “એણે કોઈને નિરાશ નથી કર્યા પણ પહેલાં એ રડાવે છે.” ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178