Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
View full book text
________________
સાધકનું સમાધાન
ગુરુદેવના ચરણે મનથી, વચનથી, કાયાથી સમર્પિત બની, તેમની પ્રત્યેક આજ્ઞાનું વિરોધ વગર, સંઘર્ષ વગર, વિકલ્પ વગર, રુચિથી, શ્રધ્ધાથી, ભક્તિથી, બહુમાનથી, શુભભાવથી, અખંડપાલન, પ્રાણના ભોગે, જીવન સર્વસ્વના ભોગે પાલન કરવું. ભંગ થાય તો પ્રાયશ્ચિત લેવું.
આરાધના, સાધના, ઉપાસના, પરમાર્થમાર્ગની. આરાધના, સમગ્ર આરાધના નિઃશલ્ય ભાવે નિષ્કપટભાવે, નિર્બદ્ધ ભાવે કરવી.
ઈશ્વરના ચરણે આત્મસમર્પણ કરવું, કર્મ અને કર્મફળનો ત્યાગ કરવો; અહં મમનો લય કરવો.
દરેક પદાર્થમાં, દરેક સંયોગમાં, દરેક વ્યક્તિમાં ઈશ્વરદર્શન કરવું.
અહમુથી અલગ પોતાની જાતનું નિરીક્ષણ કરવું. શુધ્ધ, બુધ્ધ, મુક્ત, પૂર્ણ સત ચિત આનંદ સ્વરૂપનેં સતત અનુભવ કરવો.
પરમ ઉપકારી તીર્થકર દેવનો પુરસ્કાર, સપુરુષના ચરણોમાં અખંડ ભક્તિ, અખંડ પ્રીતિ કરવી, એમના ચરણે સર્વાગીણ સમર્પણ કરવું. અભેદ દશા, અદ્વૈત અવસ્થા અનભવવી.
આપવું અને લેવું એ વિનિમય છે, જ્યારે શુધ્ધ લાગણી વિનિમયની મર્યાદાથી
પર છે.
જેનું ધ્યાન ધરવું છે તે અંતરમાં છે. સંસ્કારના ભાર તળે તે દબાયો છે. સાધનોના વેગવાન આંદોલનો એ ભારને દૂર કરે છે ત્યારે પ્રગટે છે ચૈતન્ય જ્યોત.
ધ્યાન મન દ્વારા કરવું છે, તે તદ્દન ખાલી જોઈએ અર્થાત ધ્યેય સિવાય બીજાને ફેંકી દેનારું જોઈએ. આ સામર્થ્ય એ જ તપ છે. સત્ત્વ એ સામર્થ છે.
ગમે તેવા વિકટ સંજોગોમાં, પ્રસંગોમાં, મૂંઝવણોમાં અસ્વસ્થ, વ્યગ્ર, ચિંતાતુર, ગમગીન ન બનવું. લોકોના બિનજરૂરી ભયથી સંતપ્ત ન રહેવું, મન સ્વસ્થ રાખવું.
૧૩૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178