SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન ગુરુદેવના ચરણે મનથી, વચનથી, કાયાથી સમર્પિત બની, તેમની પ્રત્યેક આજ્ઞાનું વિરોધ વગર, સંઘર્ષ વગર, વિકલ્પ વગર, રુચિથી, શ્રધ્ધાથી, ભક્તિથી, બહુમાનથી, શુભભાવથી, અખંડપાલન, પ્રાણના ભોગે, જીવન સર્વસ્વના ભોગે પાલન કરવું. ભંગ થાય તો પ્રાયશ્ચિત લેવું. આરાધના, સાધના, ઉપાસના, પરમાર્થમાર્ગની. આરાધના, સમગ્ર આરાધના નિઃશલ્ય ભાવે નિષ્કપટભાવે, નિર્બદ્ધ ભાવે કરવી. ઈશ્વરના ચરણે આત્મસમર્પણ કરવું, કર્મ અને કર્મફળનો ત્યાગ કરવો; અહં મમનો લય કરવો. દરેક પદાર્થમાં, દરેક સંયોગમાં, દરેક વ્યક્તિમાં ઈશ્વરદર્શન કરવું. અહમુથી અલગ પોતાની જાતનું નિરીક્ષણ કરવું. શુધ્ધ, બુધ્ધ, મુક્ત, પૂર્ણ સત ચિત આનંદ સ્વરૂપનેં સતત અનુભવ કરવો. પરમ ઉપકારી તીર્થકર દેવનો પુરસ્કાર, સપુરુષના ચરણોમાં અખંડ ભક્તિ, અખંડ પ્રીતિ કરવી, એમના ચરણે સર્વાગીણ સમર્પણ કરવું. અભેદ દશા, અદ્વૈત અવસ્થા અનભવવી. આપવું અને લેવું એ વિનિમય છે, જ્યારે શુધ્ધ લાગણી વિનિમયની મર્યાદાથી પર છે. જેનું ધ્યાન ધરવું છે તે અંતરમાં છે. સંસ્કારના ભાર તળે તે દબાયો છે. સાધનોના વેગવાન આંદોલનો એ ભારને દૂર કરે છે ત્યારે પ્રગટે છે ચૈતન્ય જ્યોત. ધ્યાન મન દ્વારા કરવું છે, તે તદ્દન ખાલી જોઈએ અર્થાત ધ્યેય સિવાય બીજાને ફેંકી દેનારું જોઈએ. આ સામર્થ્ય એ જ તપ છે. સત્ત્વ એ સામર્થ છે. ગમે તેવા વિકટ સંજોગોમાં, પ્રસંગોમાં, મૂંઝવણોમાં અસ્વસ્થ, વ્યગ્ર, ચિંતાતુર, ગમગીન ન બનવું. લોકોના બિનજરૂરી ભયથી સંતપ્ત ન રહેવું, મન સ્વસ્થ રાખવું. ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy