SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન આ જીવન પરમાર્થ માર્ગની સાધના માટે જ છે. એ જીવનની પ્રત્યેક પળ કિંમતી છે. એની પ્રત્યેક પળ ગંભીર સાધનામાં જ જવી જોઈએ. પ્રમાદ કર્તવ્ય નથી. દુરુપયોગ કેમ જ થાય? ક્ષમા, મંત્રી, નિર્ભયતા, નિરપેક્ષતા, પરમપ્રેમ, શાંતિ, ગંભીરતા, ધીરજ, સમતા, કરુણા, સહિષ્ણુતા, સ્થિરતા, શ્રધ્ધા, આત્મવિશ્વાસ, નીડરતા, કુશળતા, સ્વસ્થતા આ ગુણોને ખાસ કેળવવા. ભયની પ્રકૃતિ તો સંપૂર્ણતઃ દૂર કરવી. પૂરેપૂરા નિર્ભય બનવું. વિશ્વાસ, વફાદારી, નિર્ભયતા એ જ જીવનના આધાર સ્તંભો છે, કૃતજ્ઞતા તો પરમ સગુણ છે. જેને જવાબદારી સોંપીએ તેના પ્રત્યે પૂર્ણ વફાદારી, સમર્પણ અને તેનું અખંડ આજ્ઞાપાલન હોવું જોઈએ. ભક્તિ અને મૈત્રીને બાધક ભોગ અને પરિગ્રહ અનુક્રમે જાણવા. જ્યાં રામ ત્યાં કામ નહીં. જ્યાં કામ ત્યાં રામ નહીં. કામ, ક્રોધ, લોભ ત્રણ મહાદોષો છે. લોભ કંચન વિષે અને કામ કામિની વિષે, તે બન્નેથી ક્રોધ જન્મે છે. જાપ દ્વારા, ભક્તિધારા, પ્રેમથી લેવાતા પ્રભુના નામ દ્વારા મળની હાનિ થાય છે, વિકારો શમે છે, નિર્વિકારી દશા આવે છે. વસ્તુઓ અને વ્યક્તિઓ વિષેના વિકલ્પોમાં અટવાયેલું ચિત્ત વિચાર કરી શકતું નથી. વિકલ્પનું કારણ ભેદબુધ્ધિ છે. જડ અને ચેતન તત્ત્વ સ્વ સ્વ કાળની પર્યાયમાં યુક્ત છે. એ પર્યાયદષ્ટિ ભેદજનક છે. પર્યાય તો તે દ્રવ્યની તે કાળની અવસ્થા છે. એ પર્યાય દ્રવ્ય સાથે ત્રિકાળ નથી. વર્તમાન અવસ્થા ગૌણ કરી દ્રવ્ય તરફ દૃષ્ટિ જાય તો ભેદ ટળે. એ ટળતાં વિકલ્પ ટળે અને વિચાર પ્રગટે. ૧૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy