SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાન જુદા પ્રકારને જાણવા મથે છે અને એનું સંકલન કરવા મથે છે, એની પાછળનો એકતાનો સ્રોત શોધવા મથે છે. ધર્મ સાધનામાં ભાવ મુખ્ય છે. કારણ સર્જન ભાવમાંથી થાય છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં અધ્યવસાય કહે છે. અધ્યવસાય એટલે ચેતનમાં ઊઠતા કંપનો, એ કંપનો અંદર ઊઠે છે એનું કારણ છે પૂર્વ કર્મના અનુભવમાંથી પસાર થતી વખતે ચેતનમાં જે ઊઠતી લાગણીઓ તે છે. અધ્યવસાય એ જ મુખ્ય બળ છે. અને કામ જે કરવાનું છે તે અધ્યવસાય ઉપર કરવાનું છે. અધ્યવસાય નિમિત્ત છે. પરમાણુઓની જે રચના થાય છે, એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જે બદલાય છે, તથા એની ફળપ્રદાન શકિત જે વધે છે એ મૂળ આવે છે પરમાણુઓમાંથી. ૫૨માણુ પોતે જ શકિતનો ભંડાર છે. એ ક્રમે ક્રમે બહાર આવે છે, એ આવે છે તો પોતાનામાંથી જ પણ એમાં જે પ્રગટ થાય છે એમાં નિમિત્ત તમારો અધ્યવસાય. એમાં જે શક્તિ છે તે તમારી છે. એટલે તમારી આજુબાજુમાં જે કાંઈ રચના થાય છે, એ કરે છે પરમાણુઓ, શકિતનો ભંડાર એનો પોતાનો, પણ તમારા માટે જે રચના થાય છે એમાં નિમિત્ત તમારા અધ્યવસાય. માટે જ ભિન્ન ભિન્ન રચના છે, અનંત પ્રકારની વિવિધતા છે, આ વૈવિધ્ય છે ૫૨માણુઓનુ પોતાનું, પણ એ પ્રગટે એમાં નિમિત્ત તમારો અધ્યવસાય, અને જો અધ્યવસાય નિમિત્ત હોય તો તો ૫૨માણુઓ અર્થાત પુદ્ગલ દ્રવ્ય તદ્ન તટસ્થ થઈ ગયું, એ કશામાં જવાબદાર નથી. અને એ રચના થાય છે, પણ એમાં એ જવાબદાર નથી. કારણ એ જડ છે. પણ એની કિત છે. એનામાં શકિત છે. એ બહાર આવે છે. એમાં નિમિત્ત અધ્યવસાય, તો પુદ્ગલ દ્રવ્યના પક્ષે કંઈપણ વિચાર કરવા જેવો રહેતો નથી. જયારે આપણા સમગ્ર વિચારનું કેન્દ્ર પુદ્ગલ દ્રવ્ય છે. ચેતના એટલા માટે બહાર છે. એનું કેન્દ્ર પુદ્ગલ બન્યું છે. માટે એની રચના સારી, ખોટી, પસંદ, નાપસંદ, પ્રિય, અપ્રિય, સુખકર, દુઃખકર એ જ વિચાર છે. એને બદલવાની, અનુકૂળ કરવાની યોજના ઘડીએ છીએ પણ એ શકય નથી, કારણ એ રચના પહેલાનો અધ્યવસાય તમારો, એ જ નિર્ણયાત્મક છે. માટે પહેલું કામ એ કરવું પડે કે તમારી આજુબાજુમાં જે રચના છે, એ માટે આજે તમારો ગમે તે અભિપ્રાય હોય, ગમે તેવો સ્વીકાર, અસ્વીકાર હોય પણ તમારા અધ્યવસાયે જ એ રચનામાં ફાળો આપ્યો છે. અને એ રચના એમ જ થાય તો, આજે શું થાય ? માત્ર સ્વીકાર, પૂરેપૂરો સ્વીકાર, આઘાત, પ્રત્યાઘાત, પ્રતિક્રિયા વગરનો સ્વીકાર, એ જ ઉપાય અને આવો સ્વીકાર એનું નામ શાંતિ. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy