Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ ૨૧ સ્મૃતિ સંદભ ગ્રંથ દુનિયાભરને નચાવી, અકળાવી રહ્યા છે. પણ ખનીજ તેલની જગ્યાએ નવું બળતણ શેધાશે ત્યારે આ રાષ્ટ્રોની સ્થિતિ મા મને કેડીમાંથી કાઢ” જેવી થઈ પડે તો નવાઈ જેવું નહિ લાગે ! (૮) એશિયાઈ સમાજ જીવનમાં વર્ગ વિગ્રહનું પ્રમાણ પણ વિસ્તરી રહ્યું છે. ખેતમજૂરોને ઔદ્યોગિક કામદારોનાં સગડુને અને અર્ધ લશ્કરી સંસ્થાઓ, વ્યારાવાદી પ્રવૃત્તિઓ, આ બધી પણ નિરાકરણ માગતી સમસ્યાઓ છે. (૯) ઝડપી વિકાસ અને વધી રહેલી સુવિધાઓને કારણે ગ્રામ પ્રદેશ છિન્ન-વિચ્છિન્ન થઈ રહ્યાં છે અને શહેરી કરણનું પ્રમાણ અકળાવી મૂકે તેવી રીતે વધતું જાય છે. (૧૦) શહેરીકરણને વળી તેની પોતાની સમસ્યાઓ છે. મનુષ્યનું યંત્રવત્ જીવન, કુટુંબસુખને અભાવ, માતૃપિતૃ વાત્સલ્યથી બાળકનું વંચિત રહેવું, ગંદા વસવાટો, પશુતુલ્ય એકધાયું ભારવાહી જીવન વગેરે સાથે લૂંટફાટ, ચેરી, બળાત્કાર, ખૂન વગેરેના કારણે મનુષ્ય માનવ બનવાને બદલે દાનવતાની સમીપ જાય છે. આવી દસ મુખ્ય સમસ્યાઓ તો તુરત જ નજરે ચડે તેવી છે. આથી પણ વધારે ચીવટથી અભ્યાસ કરવા જઈએ તે આજના મૂંઝવતા પ્રશ્નો તે વધુ મળવાનો સંભવ છે. ઘડીભર નિરાશ થઈ જવાય તેવા આ રાક્ષસી પ્રશ્નો છે. આમાંના રાજકીય પ્રશ્નો તે સમગ્ર એશિયાની પ્રજા જાગ્રત થાય અને એકતાની નજરે જુએ ત્યારે ઉકલે તેવા છે પણ ભિન્નભિન્ન રાજકીય વિચારસરણીઓ આમ થવા દે તેવો તે સંભવ જ કયાં છે? આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ પણ સહિયારા પ્રયત્નોથી જ ઉકલે તેમ છે. અસ્મિતાના ભા–રમાં શ્રી પ્રવીણ શેઠે આ પ્રશ્નો પર સુચારુ ચિંતન કરી તેના સમાધાનની દિશાઓ પણ બતાવી છે એટલે અમે તે વિગતેમાં ઊતરતા ની. પણ આપણે આ બધાના નીડ રૂપે એટલું જરૂર કહી શકીએ કે એશિયન પ્રજા જ્યારે વર્ગ,કમ, ન્યાત, જાતિ, ધર્મ કે એના વાડાઓનાં બંધનોથી ઉપર ઊઠી વિચારવાનું શરૂ કરશે ત્યારે ચપટી વગાડતાં આ બધા પ્રભૂત બાટલીમાં પૂરાઈ જશે એમાં શંકા નથી. એશિયાના રાષ્ટ્રો અત્યાર સુધી અત્યંત વિકસિત રાન્ટેની સાથે પિતાને વ્યાપાર ચલાવતાં હતાં. એશિયાનાં રાષ્ટ્રોએ જ્યારે જોયું કે વિકાસ પામી ચુકેલા દેશે વિકસિત થઈ રહેલા દેશો સાથે જેટલું વ્યાપાર કરે છે તેના કરતાં વિકસિત રાષ્ટ્રો સાથે વધારે પ્રમાણમાં વ્યાપાર કરે છે. અને પરિણામે અપ વિકસિત દેશોને લાભ થવાને બદલે આ રાષ્ટ્રો એવાને એવાં જ રહ્યાં અને સમૃદ્ધ રાષ્ટ્રો વધારે સમૃદ્ધ થયાં. પરિણામે એશિયાના દેશો પણ ચંકી ગયા અને એશિ. યન સમાન બજારની એક ભૂમિકા ૧૯૬૦ નાં માર્ચમાં ઊભી થઈ. ઇકાફે નામની એક સંસ્થા શરૂઆતમાં ચાર રાષ્ટ્રોને જ આવરી લેતી હતી. પરંતુ પાછળથી અન્ય એશિયન દેશે કેમન માકેટનાં રૂપમાં તેમાં જોડાવા માટે વિચાર કરતા હતા પરંતુ આ યાજના આગળ વધે તે પહેલાં ઉપમહાદ્વિપમાં બાંગ્લા દેશની ઘટનાઓને કારણે પરિસ્થિતિ મુખ્ય બની અને આગળ કશું થઈ શકયું નહીં, આ બધા પછી વળી શાંતિના ગાળામાં આ યોજના આગળ વધશે તેવી આશા બંધાણી ત્યાં વળી પાછી ઇરાક અને ઇરાન વચ્ચે છેલ્લા થોડા દિવસમાં જે ઘટનાઓ બની રહી છે તેનાં કારણે આ આર્થિક વ્યાપાર ઉદ્યોગની યોજના પાછી ઝેળે પડશે તેવુ લાગે છે. એશિયાનાં મૂંઝવતા પ્રશ્નો અને કેટલીક સમસ્યાઓમાં આપણે જોઈ ગયા કે તેના મોટા ભાગનાં રાષ્ટ્રોમાં શિક્ષણની પણ એજ સમસ્યા છે. ચીન અને જાપાન જેવા કેટલાક દેશને બાદ કરતાં નિરક્ષરતાનું પ્રમાણ મોટું છે. પરિણામે વર્તમાન પત્ર અને પુસ્તકોનું વાચન પણ આ દેશમાં ઘણું અ૯પ છે. એશિયાનાં જુદા જુદા રાષ્ટ્રોમાં વર્તમાનપત્રો વાંચનારાઓની સંખ્યાની ટકાવારીની તુલના અન્યત્ર કરવામાં આવી છે. આમ છતાં એશિયાના જે દેશોમાં શિક્ષણને વિકાસ થઈ રહ્યો છે ત્યાં કેટલાંક સમૃધ્ધ પુસ્તકાલયો પણ આવેલાં છે. આ ગ્રંથાલયો શિક્ષણ અને સંસ્કારનાં જગતને વેગ આપવાનું અને મનુષ્ય જ્ઞાનના સીમાડાને વધારે વિશાળ બનાવવાનું કામ કરી રહ્યા છે. ભારતમાંજ અગિયારસેથી વધુ ગ્રંથાલયે છે જેમાંના બે રાષ્ટ્રીય ગ્રંથાલયે કલકતા અને દિલ્હી શહેરમાં છે આ ઉપરાંત લખનૌન નરેન્દ્રદેવ પુસ્તકાલય, મદ્રાસનું થીફીકલ સોસાયટીનું અડીયાર ગ્રંથાલય, વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરી, ગુજરાત વિદ્યાપીઠનું અમદાવાદનું સમૃધ્ધ ગ્રંથાલય, મુંબઈનું જમશેદજી પેટીટ ગ્રંથાલય અને ભાવનગરને બાર્ટન અને આત્માનંદ સભાના ગ્રંથાલયો ઉલ્લેખનીય છે. આ ઉપરાંત જાપાનમાં ત્રણ અતિસમૃધ્ધ ગ્રંથાલયે, ઇજિપ્તમાં કેર યુનિવર્સિટીનું ગ્રંથાલય પણ વિવનાં સમૃધ્ધ ગ્રંથાલયમાં સ્થાન ધરાવે તેવા છે. એશિયા ખંડનું જયારે એક સમગ્રલક્ષી અધ્યયન કરી એ છીએ ત્યારે એશિયા ખંડનાં નરરત્ન આપણું ધ્યાન પર અવશ્ય આવવા જોઈએ. આવા કેટલાક નર રત્નને આપણે સંક્ષેપમાં ઉલેખ કરીએ. એશિયાના રાષ્ટ્રો પર વિજ્ઞાન, ટેકનોલેજી, વ્યાપાર ઉદ્યોગનાં ક્ષેત્રોમાં પશ્ચિમી રાષ્ટ્રોને અને રશિયા-ચીન પ્રભાવ વ્યાપક છે. તે એશિયા આફ્રિકાના રાષ્ટ્રોની મુક્તિ ચળવળ અને સંસ્થાનવાદ સામેની તે પ્રજાની લડાઇઓમાં રશિયન અને ચીની ક્રાંતિઓએ અને તેમની વિચારસરણીઓએ પણ મોટો ભાગ ભજવ્યો છે એ વાતની પણ નોંધ લેવી જ પડશે. Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 1042