________________
૧૧૭૦ આગ્રહ છે ત્યાં સંસાર છે.
૧૧૭૧ જ્યાં કંઈ પણ આગ્રહ છે ત્યાં ધર્મ નથી !
૧૧૭૨ એક જ લક્ષ રાખજો કે ‘આત્મા જાણવો છે.’ ‘આ કરવું ને તે કરવું', તેના આગ્રહમાં પડશો નહીં. જે વખતે જે થયું તે
ખરું.
૧૧૭૩ નિરાગ્રહી થવું એ વીતરાગતાનો માર્ગ છે. જ્યાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહને ય ભગવાને અજ્ઞાનતા કહી. ‘અમારા’માં આગ્રહ નામે ય ના હોય !
૧૧૭૪ મતાગ્રહથી ક્યારેય પણ મોક્ષ ના થાય. નિરાગ્રહીનો જ મોક્ષ છે.
૧૧૭૫ વીતરાગ વિજ્ઞાનમાં સહેજે ય કદાગ્રહ ના હોય. મતાગ્રહ તો હોય જ નહીં.
૧૧૭૬ ખેંચ કે હઠાગ્રહ ના હોવાં જોઈએ. ખેંચને કહીએ કે તમે જાવ.' તો તે જાય, તેવી ખેંચ હોય તો ચાલે.
૧૧૭૭ આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય ! જેનો આગ્રહ કર્યો, એ સત્ય જ નથી !
૧૧૭૮ જ્યાં આગ્રહ ત્યાં પકડ, ને જ્યાં પકડ ત્યાં વ્યથા ! ૧૧૭૯ ના ગમતી હોય, તેમ છતાં સામાના આગ્રહથી ચા પીવી પડે છે. તે ચા પીવાની આવે, તે આપણો દોષ ને સામો આગ્રહ કરે છે, તે તેનો પછી દોષ થાય છે !
૧૧૮૦ જેને આગ્રહનું ઝેર ના હોય, તેની આંટીઓ બધી નીકળી જાય. ૧૧૮૧ જેમાં આગ્રહો કર્યા છે, અભિપ્રાયો બાંધ્યા છે તેના જ વિચારો આવ્યા કરે !
૧૧૮૨ ક્ષણે ક્ષણે પલટો મારે એવું આ જગત, એમાં અભિપ્રાય આપે, તે જ પોતાની ભૂલ છે !
૧૧૮૩ જેટલાં અભિપ્રાય જેને માટે બંધાયા, તેટલાં અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય, તે આપણને ખૂંચ્યા જ કરતું હોય અને તે અભિપ્રાય આપણે છોડીએ, તો સહજ થવાય.
૧૧૮૪ અભિપ્રાય તો અહીં રાખવાનો છે કે આ દેહ દગો છે. ૧૧૮૫ ઓપન માઈન્ડ (ખુલ્લું મન) હોય, તો જ ‘કરેક્ટ' અભિપ્રાય અપાય.
૧૧૮૬ પસંદગી તો ભ્રાંત અભિપ્રાય છે.
૧૧૮૭ કોઈ પણ જાતનો અભિપ્રાય આપવો એ જવાબદારી છે ! ૧૧૮૮ અભિપ્રાય બંધાયો કે રાગ-દ્વેષ થાય. જેનો અભિપ્રાય નહીં તેનો રાગ-દ્વેષ નહીં.
૧૧૮૯ વિષયો રાગ-દ્વેષવાળા નથી, અભિપ્રાયની માન્યતા એ જ રાગ-દ્વેષ છે.
૧૧૯૦ પ્રકૃતિ તો અભિપ્રાયે ય રાખે, બધું ય રાખે, પણ આપણે
અભિપ્રાય રહિત થવું. ‘આપણે’ જુદા, પ્રકૃતિ જુદી. ‘આપણે’ આપણો જુદો જુદો ભાગ ભજવવો. એ પીડામાં ઉતરવું નહીં.
૧૧૯૧ આત્માનું ક્રિયાવાદપણું અજ્ઞાનતાને લઈને જ છે. તેને લઈને અંતઃકરણ ઊભું થયું, પ્રકૃતિ ઊભી થઈ !
૧૧૯૨ સામાની પ્રકૃતિનું ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિનું ઓળખાણ થવું એ ‘જ્ઞાન’ અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે.