Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 160
________________ વાપરીશ. ૩૦૦૩ આ કાળમાં જ આવી વાત નીકળી કે બુદ્ધિ હિતકારી નથી. સર્વકાળે બુદ્ધિ હિતકારી જ કહેતા હતા. કારણ કે સર્વકાળે સમ્યક્ બુદ્ધિ જ રહેતી હતી. આ કાળ એકલો જ એવો આવ્યો કે જ્યાં આગળ વિપરીત બુદ્ધિ થઈ ગઈ. તેથી ‘દાદા’ ‘અબુધ’ છે, એમ અમે કહીએ છીએ. ૩૦૦૪ આ બધા મનના રોગને લઈને આ સંસાર ઊભો રહ્યો છે. મનના રોગ હોય પછી તનમાં રોગ આવે. પછી વાણીમાં આવે. મોક્ષે જતાં બધા જ રોગથી મુક્ત થવું જોઈએ. આપણું ‘અક્રમ વિજ્ઞાન’ મનના રોગને મટાડે એવું છે ! ૩૦૦૫ મન નિરોગી એટલે શું ? મનને ક્યાંય કશી હરકત જ ના આવે. તમે મોળું ખાવાનું મૂકો કે ખાટું મૂકો પણ મનને અસર ના થાય ! મન રોગી એટલે ખાટાનો રોગ પેસી ગયો હોય એટલે ખાટું જ જોઈએ ! ૩૦૦૬ અજ્ઞાનતામાં થઈ ગયેલા રોગને હવે શું કરવું ? ‘અક્રમ વિજ્ઞાન'ની નવી જ શોધખોળ છે ! નવો રોગ ઉત્પન્ન થાય નહીં, જૂનો રોગ ધીમે ધીમે કાઢે ને નિરોગી અવસ્થા પ્રાપ્ત થાય ! પછી જેટલી અવસ્થા પ્રાપ્ત થઈ તેનું રક્ષણ કરે ! ૩૦૦૭ ભગવાન મહાવીર ‘સમય વિચારી’ કહેવાય, છતાં તદાકાર ના હોય. વિચાર ‘સમયે સમયે' પલટાય ! આપણા લોકો તો દસ-દસ, પંદર-પંદર ‘મિનિટ’ સુધી એક વિચારમાં ખોવાય ! કેટલાંક તો કલાક-કલાક રહે ! એક કલાકમાં તો દુનિયા નવી રચાય ! પણ પોતે શેમાં ય પડ્યો હોય ! ગમતા વિષયમાં ! ય ૩૦૦૮ મનની ઇચ્છા પ્રમાણે દૂધપાક મળ્યો એટલે મન મરી ગયું. પણ દૂધપાક ખાતાં ખાતાં ફરી આવો દૂધપાક મળે એ તૃષ્ણા ઊભી થાય, એટલે મન પાછું જીવતું થઈ જાય ! ૩૦૦૯ કોઈની જોડે આપણા વિચારો મળતા આવે, તે બહુ જોખમકારક છે. વિચારો મળતા આવવાં જોઈએ એની જરૂર નથી, સમજ જોઈએ. વિચારો મોક્ષે લઈ જતાં નથી, સમજ મોક્ષે લઈ જાય છે ! ૩૦૧૦ ‘અમે’ વિચારીને જવાબ આપીએ તો કોઈ સાંભળે ય નહીં. આ વિચારેલા જવાબ નથી. આ તો નિર્ભેળ જવાબ કહેવાય. જ્ઞાન જવાબ કહેવાય. વિચાર એ તો પુદ્ગલ છે. અમારામાં તદાકારરૂપે એ ના હોય. ‘અમે’ ‘કેવળજ્ઞાન'માં જોઈને જ જવાબ આપીએ છીએ. ૩૦૧૧ ભય પામવા જેવું જગત જ નથી. ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ ને ‘વ્યવસ્થિત’ શક્તિ કામ કર્યા કરશે. મન તો અમને ય કહે કે આગળ ગાડી અથડાશે તો ? એટલે અમે તેને કહીએ, ‘તેં કહ્યું એની અમે નોંધ કરી, હવે બીજી વાત કરો.’ એટલે એ બીજી વાત કરે. મન એવું નથી કે આગલી વાતની પકડ પકડે ! આપણે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે ! મન એ તો ‘ડિસ્ચાર્જ’ ભાવો છે. એ ડિસ્ચાર્જ ભાવમાં જો આપણે કદી તન્મયાકાર થઈએ તો ‘ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય. ૩૦૧૨ ‘બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું’ એટલે શું ? મનમાં વિચાર આવ્યો તેમાં તન્મયાકાર થયો એટલે બ્રહ્માંડમાં છે. મનમાં વિચાર આવ્યો ને તન્મયાકાર ના થયો એટલે બ્રહ્માંડની બહાર કહેવાય ! ૩૦૧૩ ચિત્ત ‘મિકેનિકલ ચેતન’ છે. મન ‘મિકેનિકલ ચેતન’ નથી, એ ‘ડિસ્ચાર્જ’ થતું છે ! ૩૦૧૪ જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે ! ચિત્તને ઠેકાણે રાખવા ‘જ્ઞાની પુરુષ’ની ‘કૃપા’ પ્રાપ્ત કરવી પડે !

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235