Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 183
________________ ૩૩૬ ૧ છે પોતે અસંગ, ને પડ્યો છે સંગ-પ્રસંગમાં ! ૩૩૬૨ ક્રોધ-માન-માયા-લોભ પોતાના “ડિસ્ચાર્જ ભાવ'નાં ઊભાં થાય તે સંગ, ને સામાના નિમિત્તે ઊભાં થાય તે પ્રસંગ ! ૩૩૬૩ ખરો સત્સંગ તે અસંગ-સત્સંગ. પૌદ્ગલિક સંગને કુસંગ કહે ૩૩૬૪ “જ્ઞાની પુરુષ' એટલે મૂર્તિમાન મોક્ષસ્વરૂપ કહેવાય ! મૂર્તિમાન મોક્ષ એટલે પરમ સત્ કહેવાય. પરમ સત્તા સંગમાં અમથા બેસી રહીએ, તો ય પરમ સસંગ છે ! એનું ફળ મળ્યા જ કરે !!! ૩૩૬૫ તૃષ્ણા અનંત છે, મનુષ્યોના વિકલ્પો અસંખ્યાત છે. એમાં મનુષ્યોનો મેળ શી રીતે ખાય ? ૩૩૬૬ લોકોને સંતોષ થાય છે, પણ તૃપ્તિ થતી નથી. સંતોષ શાથી થાય છે ? એણે ઇચ્છા કરી હતી કે રસ-રોટલી ખાવા મળે તો ઠીક. તે મળે એટલે સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ તો જ્ઞાનીને હોય. ૩૩૬૭ ફરી ભોગવવાની ઈચ્છા ના થાય, એનું નામ તૃપ્તિ. ૩૩૬૮ સંતોષ એ તો પરિણામ છે. પૂર્વે સંતપુરુષોનું સાંભળેલું હોય, તેના પરિણામે સંતોષ ઉત્પન્ન થાય. ૩૩૬૯ સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા ! ૩૩૭૦ આશા નિરાશારૂપે સાંપડે એ આશા શા કામની ? ૩૩૭૧ ગાડી તને મળશે એવી આશા રાખ, પણ વખતે ગાડી ના મળી તો આશા નહોતી એવું રાખ. ૩૩૭૨ સંસારની આશા રાખીએ, લાલચ રાખીએ, તો ય એનું એ જ ફળ આવવાનું છે. આની શી લાલચો ? ૩૩૭૩ લાલચથી લપટાયો છે, તેનાથી જ સંસાર ઊભો છે ! આખું જગત લાલચથી લપટાયું છે ! ૩૩૭૪ જેને લાલચ ના રહે, તે બ્રહ્માંડનો સ્વામી છે ! ૩૩૭૫ લાલચ દીનતા કરાવડાવે અને દીનતા થાય એટલે મનુષ્યપણું ખોઈ બેસે ! ૩૩૭૬ લાલચ પેઠી કે પેઠું બધું. “કેવું સુંદર' કહ્યું કે વળગે ! ૩૩૭૭ આ દુનિયામાં છેતરાય કોણ ? લાલચુ ! જો લાલચુ ના હોય તો તેને ભગવાન પણ છેતરી ના શકે. લાલચ ના હોય તો જગત કલ્યાણ થાય. ૩૩૭૮ ભગવાને એક શરત મૂકેલી કે લાચાર ના થઈશ. ૩૩૭૯ લાચારીનું કારણ શું ? લાચારીનું કારણ અહંકાર છે. બહુ અહંકાર થાય ત્યારે લાચારી અનુભવાય. ૩૩૮૦ ‘વાસ્તવિક' જાણ્યા સિવાય કોઈ માણસ સ્વતંત્ર થઈ શકે નહીં. બાકી, જગત તો સ્વતંત્ર જ છે ! ૩૩૮૧ જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે. પોતાની અજ્ઞાનતાથી આ બધું એને ભાસે છે. ૩૩૮૨ આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને કિંચિત્માત્ર ડખલ કરી શકે એમ છે જ નહીં. દરેક જીવ સંપૂર્ણ સ્વતંત્ર છે. ભગવાન પણ ડખલ ના કરી શકે એટલી બધી સ્વતંત્રતા છે ! ૩૩૮૩ ગમે તેવી ‘ઈફેક્ટસ'માં, અસરોમાં હું મુક્ત જ છું' એવું રહ્યા કરે એ જ સચ્ચી આઝાદી ! ૩૩૮૪ સંસાર અડે નહીં, એનું નામ મુક્તિ. સંસારની ઉપાધિ અડે નહીં એ મુક્તિ. આખા જગતના તમામ જીવો મુક્તિ ઝંખે છે.

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235