Book Title: Anandvardhanno Dhvani Vichar
Author(s): Nagindas Parekh
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન ભારતીય કાવ્યવિચારના ઈતિહાસમાં આનંદવર્ધનાચાર્ય(ઈ. સ. ૯મી સદી)ને ગ્રંથ “ધ્વન્યાલોક' અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં એમણે વનિસિદ્ધાંતની સ્થાપના કરી, રસને કેન્દ્રમાં મૂકી, કાવ્યનાં બધાં અંગોની એક સુસંકલિત વ્યવસ્થા કરી આપી છે, જેને પછીના મોટા ભાગના આચાર્યો અનુસર્યા છે. બીજી રીતે કહીએ તે, ભારતીય કાવ્યવિચારનું એ એક ઊંચામાં ઊંચું શિખર છે. એ ગ્રંથમાં કારિકા અને વૃત્તિ એવા બે અંશે છે અને તે બંને એક જ વ્યક્તિના લખેલા છે કે ભિન્ન ભિન્ન વ્યક્તિના, તે વિશે મતભેદ પ્રવર્તે છે. અહીં “વન્યાલેક'ને આધારે ધ્વનિસિદ્ધાંતની સમજુતી આપવાનો પ્રયત્ન છે, એટલે આખો ગ્રંથ એક જ વ્યક્તિની રચના. છે એમ માનીને રજૂઆત કરેલી છે. જ્યાં વૃત્તિ, કારિકાના પુનકથનરૂપ જ હેય, અથવા વૃત્તિમાં એકાદ બે શબ્દની સમજૂતી જ હોય, ત્યાં કેઈક વાર. વૃત્તિને જતી કરી છે અથવા તેમની સમજતી કારિકાને અર્થ કરતી વખતે તેમાં સમાવી લીધી છે. “ધ્વન્યાલક” ઉપર અભિનવગુપ્તની “લોચન” નામે. ટીકા છે અને તે ભારતના નાટયશાસ્ત્ર ઉપરની એમની ટીકા “અભિનવભારતી” જેટલી જ મહત્ત્વની અને વિસ્તૃત પણ છે. અહીં “ધ્વન્યાલોક'ની સમજૂતી સામાન્ય રીતે એ ટીકાને આધારે આપેલી છે, પણ ટીકાના બધા. મુદાઓનો એમાં સમાવેશ કરેલ નથી. અહીં મુખ્ય પ્રયત્ન “વન્યાલેક'ના. મુખ્ય વિચારને જ બને એટલે સ્પષ્ટપણે સમજાવવાનો છે, અને તે માટે જેટલું જરૂરનું લાગ્યું તેટલું જ લીધું છે. વિષયગ્રહણમાં મદદરૂપ થાય એ દષ્ટિએ ગ્રંથમાં પેટા મથાળાં મૂક્યાં છે અને ખાસ કરીને વિષયાનુક્રમણી બને એટલી વિગતે તૈયાર કરી છે, તે અભ્યાસીઓને ઉપયોગી થઈ પડશે એવી આશા છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 530