Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 98
________________ ૨૨ આગમત શંકા કરનારને આશય એ છે કે જેમ એક યાચક શેઠ પાસે યાચના કરવા જાય છે તે પ્રસંગમાં યાચકને લાભાન્તરાય - પશમ થયે હોય અને શેઠને દાનાન્તરાયને ક્ષાપશમ થયો હોય તે જ દાનરૂપી કાર્ય બની શકે છે, પરંતુ બેમાંથી એકના અભાવમાં તે વસ્તુ બની શકતી નથી. તે પ્રમાણે અહીં ધમ-ધર્માદિ દ્રવ્ય અવગાહ લેનાર છે અને આકાશ દ્રવ્ય અવગાહ આપનાર છે તે અવગાહ એ એક આકાશનેજ ગુણ કેમ હોઈ શકે? ઉત્તર : તમારું કહેવું એગ્ય છે, અર્થાત્ શંકા બરાબર છે. તે પણ એવું જે આકાશ તે અવગાહ્ય=અવગાહ કરવા યોગ્ય હોઈ મુખ્ય છે. જેમાં અનુપ્રવેશ રૂપ અવગાહ થઈ શકે તેજ આકાશનું લક્ષણ ઈષ્ટ છે. જ્યારે અવગાહ કરનારા પુદ્ગલે વિગેરેના સંગથી અવગાહની ઉત્પત્તિ છે, તે પણ તેની અહીં વિવક્ષા નથી. માટે અવગાહ તે આકાશનું લક્ષણ છે. કારણ કે અસાધારણ કારણપણાએ અવગાહ આપવામાં આકાશ ઉપકારક છે. અને તેથી અન્ય-દ્રવ્યથી નહિં સંભવતા અવગાહ રૂપ ઉપકાર વડે અતીન્દ્રિય એવું પણ આકાશ આત્મદ્રવ્યની માફક અથવા ધર્મ-અધર્મ દ્રવ્યની માફક અનુમાનથી જાણવા લાયક છે. આ વસ્તુ દષ્ટાંતથી સમજાવે છે–જેમ પુરુષને હાથ-દંડ તેમજ ઢોલ એ ત્રણેના સાગથી શબ્દથી ઉત્પત્તિ થાય છે, છતાં ઢેલને શબ્દ એ પ્રમાણે જ બેલાય છે અથવા પાણ-માટી અને યવનું બી એ ત્રણના સાગથી વાંકુરની ઉત્પત્તિ છતાં યવને અંકુર જ જેમ કહેવાય છે તે પ્રમાણે અસાધારણ કારણપણથી અવગાહ પણ આકાશને ગુણ છે એમ જરૂર માનવું જોઈએ. વળી દેવદત્ત બેસે છે. આ દષ્ટાંતમાં જેમ બેસવાની ક્રિયા અર્થાત બેસવાપણું દેવદત્તમાં છે. તે પ્રમાણે પરમાણુ અવગાહે છે, જીવ અવગાહે છે વિગેરે દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે અવગાહ ગુણ પરમાણુ પુદ્ગલને તેમજ જીવને છે એ પ્રમાણે જેઓની માન્યતા છે. તે પણ ઉપર જણાવેલ ભેરી શબ્દના દષ્ટાંતથી દૂર થાય છે.

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166